• રવિવાર, 28 એપ્રિલ, 2024

ખોટી સહી કરી બારોબાર ચૂકવણું કરતાં પગલાં ભરવાં માંગ

નલિયા, તા. 27 : વોર્ડન કમ હેડ ટીચર તરીકે કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય નલિયા-4 ખાતે ફરજ બજાવતા પ્રજાપતિ ભાવનાબેને ફરિયાદ કરતાં જણાવ્યું કે સંસ્થાનુ બેન્ક એકાઉન્ટ તેમની તેમજ નોડેલ પર્સન બન્નેની સંયુક્ત સહીથી ઓપરેટ થાય છે, પરંતુ વાઘેલા બીનાબેને (નોડેલ પર્સન) તેમની સહીની કોપી કરી જાણ બહાર રૂા. 1,06,937 ડુપ્લિકેટ સહી કરી બિલનું ચૂકવણુ કરી દીધું હતું. ઉપરાંત તેમના નામથી એમને યુઝર આઈ.ડી. બનાવી છે, જેની કોઈ પણ પ્રકારની જાણ કરી નથી.   ખોટી સહી કરી નલિયા-4 નોડેલ તેમજ નલિયા-3 નોડેલ સંજોટ રંજનબેન બંને ભેગા મળી સરકારી નાણાકીય ઉચાપત કરી છે અને સંસ્થાના એકાઉન્ટમાંથી રૂા. 1,06,937 પરેશ કરિયાના સ્ટોરને બારોબાર ચૂકવાઈ ગયા છે. એમની સામે નાણાકીય ઉચાપતની કાર્યવાહી કરવા સી.પી.આઈ.ને ફરિયાદ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang