• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

તલ-લૈયારીના કેમ્પમાં 30 કુપોષિત બાળક મળ્યાં

ભુજ, તા. 19 : મુંબઇના જાણીતા બાળરોગ નિષ્ણાત ડો. જયેશ કાપડિયા દ્વારા નખત્રાણા તાલુકાના તલ-લૈયારીમાં બાળરોગ તપાસણી કેમ્પ આયોજિત કરાયો હતો. આ કેમ્પમાં નવા સામેલ 280 બાળક પૈકી 30 કુપોષિત જણાયાં હતાં. આ ઉપરાંત ઝાડા અને ચામડીને લગતા કેસ પણ જોવા મળ્યા હતા. સાડાઉ ખાતે ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા સાકરબેન લાલજી પ્રેમજી ગાલાના સૌજન્યથી આયોજિત કેમ્પમાં મળેલા 23 કુપોષિત બાળકમાંથી 21નું વજન વધ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang