• રવિવાર, 08 જૂન, 2025

કોરોનાથી 59 દર્દીનાં મોત

નવી દિલ્હી, તા. 7 : ભારતમાં નવેસરથી ઉચાટ ફેલાવી રહેલા કોરોના વાયરસનાં સંક્રમણમાં છેલ્લા 21 દિવસમાં 62 ગણો ઉછાળો આવ્યો છે. દેશમાં 5,755 સક્રિય કેસ છે, તો 59 દર્દી જીવ ખોઈ ચૂક્યા છે. જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી દેશમાં કોવિડ સંક્રમણના કુલ 11,298 કેસ સામે આવ્યા છે. આ કુલ સંક્રમિતોમાંથી 48.54 ટકા દર્દી સાજા થઈ ચૂક્યા છે. માત્ર 0.52 ટકા મામલામાં દર્દીનાં મોત થયાં છે. સૌથી વધુ સક્રિય કેસો ધરાવતાં કેરળમાં આરોગ્ય વિભાગે હોસ્પિટલોને સંક્રમિતોની સારવાર કરતી વખતે જૂન 2023ની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 17 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. જો કે, તેમાંથી 16 સંક્રમિતને અન્ય બીમારીઓ પણ હતી.(કેરળમાં હોસ્પિટલોમાં માસ્ક પહેરવું સૌ માટે ફરજિયાત કરવા સાથે શરદી, તાવ, ઉધરસવાળા દર્દીના ટેસ્ટ ફરજિયાત કરાયા છે.  આરોગ્ય વિભાગે જ્યાં વધુ કેસ દેખાય છે, તેવા વિસ્તારોનો પ્રવાસ ટાળવા સહિતની સતર્કતા રાખવા સલાહ આપી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd