ભુજ, તા. 7 : દેશમાં અમન, શાતિ અને ભાઇચારો જળવાઇ રહે તેવી દુઆ સાથે કચ્છભરમાં
ઇદ-ઉલ-અઝહાની કોમી એકતા અને ભાઇચારાથી ઉજવણી કરવામાં આવી હતી. - ભુજ મુખ્ય ઇદગાહ : શહેરના હમીરસર કાંઠે આવેલી મુખ્ય ઇદગાહ
ખાતે ઇદ-ઉલ-અઝહા (કુરબાની ઇદ)ની નમાજ અને ખુત્બો સૈયદ ખેરશાબાપુ હાજી હાસમશા બુખારીએ
પઢાવ્યો હતો. મુખ્ય ઇદગાહ પર મોટી સંખ્યામાં નમાજીઓ સામેલ થયા હતા. વ્યવસ્થા મદદનીશ
ટ્રસ્ટી સૈયદ હુશેનશા સાજનશા બુખારી તથા સૈયદ લતીફશા બુખારી, સૈયદ મુસ્તફાબાપુ, સૈયદ
હનનશા બાપુ, ફઝલ જમાદાર, કાસમ સમા,
ફકીરમામદ કુંભાર, અલીમામદ જત, અનવર નોડે, અબ્દુલ શેખ, તબરેજ શેખ,
સૈયદ યુસુફશા વગેરેએ સંભાળી હતી. - અલીફ મસ્જિદ : શહેરની જૂની બકાલી કોલોની સ્થિત અલીફ મસ્જિદ
ખાતે મૌલાના કમરુદ્દીન હિજીએ ખુત્બો પઢાવ્યો હતો. વ્યવસ્થા મુતવલી સલીમબાપુ, જાવેદ સમા, તૌસીફ સમા,
ઇજાજ સમા, સિરાજુદ્દીન, અમીરહુશેન
સુમરા, યાકુબ લુહાર, ગની લુહાર,
હાજી અયુબ બાલુ, હાજી ગફુર, સુહાન સમા વગેરેએ સંભાળી હતી. - સહકાર સેવા મંડળ : ભુજ શહેરના હમીરસર તળાવ પાસે ગરીબ લોકોને મીઠાઇનું વિતરણ કરવામાં
આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમમાં લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્રભાઇ
જણસારી, સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીર સમેજા,
ઉપપ્રમુખ માલશીભાઇ માતંગ, સલમાન ચા, મારાજ હાજર રહ્યા હતા. - બળદિયામાં નમાજ અદા કરાઇ : તાલુકાના
બળદિયા ગામે મૌલાના હાલેપોત્રા મોહંમદ અલી અકબરીએ નમાજ-ખુત્બો પઢાવ્યો હતો. આ પ્રસંગે
સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. - ગાંધીધામ કોમ્લેક્ષ હર્ષોલ્લાસ સાથે ઉજવણી : વહેલી સવારે મુસ્લિમ બીરાદરો મસ્જીદો મા
નમાઝ પડવા મોટી સંખ્યામાં હાજરી આપી હતહી. જેમા નાના બાળકો પણ સામેલ હતા. મસ્જીદ એ તયબાહ નવી સુંદરપુરી ખાતે મોલાના હાફીઝ
અબ્દુલસતાર માંજોઠી એ ઈદ ની નમાજ તથા ખુતબો પઢાવ્યો હતો.ફતેમણે ઈસ્લામ મઝહબ મા કુરબાની
નુ મહત્વ સમજાવી આજનો દીવસ ગરીબ યતીમ વિધવાઓ
ને મદદ નો દીવસ હોવાનું કહ્યું હતું. તેમણે
ઈદ ની ખુશીમા ગરીબ લોકો ને પણ સામેલ કરવા ની વાત કરી હતી. કચ્છ જીલ્લા મુસ્લિમ સમાજ ના અગ્રણી હાજી જુમા રાયમા
એ કચ્છ તથા દેશવાસીઓ ને ઈદ મુબારક પાઠવી જણાવ્યું
હતું કે ઈદ ના દીવસે ફકત જાનવર નહી પણ ઈન્સાન
પોતાનામા રહેલી બુરાઈઓ, પોતાના ગુનાહો
હસદ (અદેખાઈ) નફરત ની પણ કુરબાની આપે અને એક સાચો મુસ્લિમ એજ છે તે સમાજ માથી બુરાઈઓ
દુર કરે મોહબ્બત એકતા નો સ્વચ્છ તથા સ્વસ્થ સમાજ નુ નીર્માણ કરે તેવું તેમણે કહ્યું હતું. આ પ્રસંગે સુમાર હીંગોરજા,
લતીફ માજોઠી, સલીમ રાયમા, સતાર હીંગોરજા, જુમા સમા, અજીજ
દરવાન શબીર રાયમા, નજીર રાયમા, નીઝામ માંજોઠી,
સાહીદ રાયમા, સદામ હીંગોરજા એ વ્યવસ્થા સંભાળી
હતી.નુરી મસ્જીદ ગાંધીધામ ખાતે ઇદ-ઉલ-અઝહા ની નમાજ મૌલાના અબ્દુલ શકુર સાહેબે અદા કરાવી
હતી દેશની તરક્કી થાય ભાઈચારો રહે આપણો દેશ સુરક્ષિત રહે વિશ્વમા નામના મેળવે તેવી પરવરદિગાર પાસે દુઆ કરવામાં આવી હતી. વેળાએ ટ્રસ્ટીઓ
અને આગેવાનો શકુરભાઇ માંજોઠી ,અબ્દુલભાઇ પઠાન, ગનીભાઇ માંજોઠી,હાજી અલી સોઢા, ફિરોઝખાન પઠાન,ઇસલામુદીન, સાલેમામદ માંજોઠી,શનાઉલલાહ બારાભાઇ તથા મોટી સંખ્યા
મા લોકો નમાજ અદા કરી હતી. માંડવી : સોનાવાળા નાકાં પાસેથી પરંપરાગત અન્જુમન-એ-ઈસ્લામ
આયોજિત જુલુસને પ્રસ્થાન કરાવાયું હતું. બહોળી સંખ્યામાં બિરાદરોની સામેલગીરી સાથે ઉજવણી કરાઈ કરાઈ હતી. ઇદગાહ ખાતે કચ્છ અંજુમને ઇસ્લામ દ્વારા ઈદ ઉલ અઝહા
નિમિત્તે સમૂહ નમાજનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈયદ રિઝવાનશા બાવાએ નમાજ અદા કરાવી
હતી. મુફ્તી સાહેબના ફરજંદ સૈયદ હાજી અમીનસા
બાવા સાહેબે દુઆ ફરમાવતા કુરબાનીનું મહત્વ સમજાવી સર્વેને ઈદની મુબારકબાદી પાઠવી હતી.
બહોળા મુસ્લિમ બિરાદરોજોડાયા હતા. અંજાર : તુરિયા મસ્જિદ ખાતે મૌલાના ઇબ્રાહીમ સમા
દ્વારા નમાજ પઢાવવામાં આવી હતી. રાયમા યૂથ સર્કલ ટ્રસ્ટ અંજારના પ્રમુખ સલીમ રાયમાએ
સર્વે દેશવાસીઓને ઇદની મુબારકબાદી પાઠવી હતી. જમિયત ઉલમા-એ-હિન્દના જનરલ સેક્રેટરી
નૂરમોહમદ રાયમા, મુતવલી હાજી તુરિયા, મનસુર
તુરિયા, મામદ ઝરિયા, ફકીરમામદ નોડે,
ડો. હાજી ઇસ્માઇલ બાયડ, ડો. એમ. જે. નોડે,
ઇસ્માઇલ રાયમા બાબુકાકા, સુલેમાનભાઈ બાયડ,
ઓસમાણ રાયમા, મ. હુશેન રાયમા, સોકત નોડે, હમજા રાયમા, ઇમતિયાજ
રાયમા, રહીમ ખત્રી, અમજદ રાયમા,
મામદ સમેજા, રમજુભાઈ નોડે, હાજી કાસમ બાયડ તથા સર્વે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદ નમાજ અદા કરવામાં આવી
હતી. - મુન્દ્રામાં જુલુસ અને ઈદ નમાઝ : અહીં બકરી ઈદની ઉજવણી
કરવામાં આવી હતી. સવારે તળાવ વાળા નાકા મોહમ્મદ
મિયા મસ્જિદ પાસેથીજુલુસ નીકળ્યું હતું . જે ઈદગાહ વાડી પર પહોંચી ઈદ નમાજની અદાયગી કરવામાં આવી હતી. જેમાં તાલુકાના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી
ઈદ નમાજ તથા જુલુસ ભાગ લીધો હતો. આ પ્રસંગે હાજી સલીમ જત, રહીમ
ખત્રી, હાજી અનવર ખત્રી, ઇમરાન જત, ઇમરાન અવાડીયા, અજીજ સાધ. રમજાન ચાકી, અબ્દુલ્લા ખત્રી, જાવેદ પઠાણ, શબીર તુકૅ સહીતના બહોળી સંખ્યામાં
લોકો ઉપસ્થિત રહી ઈદની શુભેચ્છા પાઠવી હતી.
મીઠાઈની દુકાનોમાં ભીડ જોવા મળી હતી.
માતાના મઢ (તા. લખપત) : ઇદગાહ ખાતે દેશમાં
અમન-ભાઇચારો-એકતા કાયમ રહે અને સહુ સાથે મળીને એકબીજાના સુખ-દુ:ખના ભાગીદર બનીએ એવું
મૌલાના હાજી ઉમરે તકરીરમાં ફરમાવ્યું હતું.
તેમજ મૌલાના ઇસ્માઇલ જત દ્વારા ખુત્બો પઢવામાં
આવ્યો હતો અને ઇદ નમાઝ બાદ સર્વે હિન્દુ ભાઇઓ તેમજ મુસ્લિમ ભાઇઓએ એકબીજાને ઇદ મુબારક
પાઠવી હતી. જમાતના મુતવલી રજબછા સૈયદ પ્રમુખ કાસમભાઇ કુંભાર, ઉપપ્રમુખ હુસેનભાઇ (બબુ) લંગા-ઇલિયાસભાઇ નોતિયાર, તાલુકા
સદસ્ય ઇબ્રાહીમભાઇ કુંભાર, હાજી જુમા માંજોઠી, રમજુ લોહાર, અનવર નોતિયાર દ્વારા સર્વેને ઇદ મુબારક પાઠવવામાં
આવેલ તમામ વ્યવસ્થા આમદ લંગા, મામદ ચાકી, અલીમામદ સોઢાએ સંભાળી હતી. ખીરસરા (કોઠારા) : ઇદ નમાજ જમાતના પેસઇમામ જત ઓસમાણએ
પઢાવી હતી, જેમાં હિંગોરા ખાલીદ મૌલાનાએ અમન અને શાંતિનો સંદેશો પાઠવ્યો હતો. આ આયોજનમાં મુસ્લિમ સમાજના પ્રમુખ
સુમરા ઇસા હસન, સરપંચ મામદભાઇ સુમરા, ઉપસરપંચ
જુસન હુસૈન સુમરા, માજી સરપંચ હાજી દાઉદ, માજી સરપંચ સુલતાનભાઇ, પૂર્વ ઉપસરપંચ ઇમરાનભાઇ,
અબ્બાસભાઇ, જાફરભાઇ ચનેસર, હાજી ફકીરમામદ ઇલિયાસ, હાજી સાલેમામદ જુસબભાઇ, નાયબ મુતવલી નુરમામદભાઇ હાસમ, ઓસમાણ અલીમામદ, હાજી ઇશાક હાજી અલારખિયા અને ગામના તમામ
ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આભારવિધિ સૈયદ હકીમછા બાવાએ કરી હતી. અબડાસા
તાલુકાના ગરડા પંથક વિસ્તારના વાયોર, થુમડી, રોહારો, વડસર, જગડિયા, વલાવારી વાંઢ, અન્ય ગામોમાં આજે બકરી ઇદ નિમિત્તે ઇદગાહમાં
નમાઝ અદા કરવા આવી હતી. નમાઝ બાદ સર્વ હિન્દુ-મુસ્લિમ ભાઇઓએ એકબીજાને હિન્દુ-મુસ્લિમ
એકતાનો સંદેશ આપ્યો હતો. તેરા (તા. અબડાસા) : ઇદ નમાજ મૌલાના અબ્દુલગની કુંભાર અને ખુત્બો મૌલાના અબ્દુલ કરીમ
દ્વારા નમાજ અને ખુત્બો અદા કરવામાં આવ્યો હતો. ઇદગાહ ખાતે મુસ્લિમ આગેવાન નિઝામુદ્દિન
બાવા ખત્રી, હાજી અજીજ લોધરા, મામદ મુસા
ખત્રી, સીધીક જુસબ, માજી સરપંચ આદમ મુસા
વગેરે બિરાદરોએ ઇદ નમાજ અદા કરી હતી. ઇદગાહ
ખાતે દેશમાં ભાઇચારો અકબંધ રહે તે માટે દુવા કરવામાં આવી હતી. રાપર : આંઢવાળા તળાવ
પાસે આવેલી ઈદગાહ ખાતે નમાજ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે સૈયદ અનવરશા બાપુએ અમન
અને ભાઈચારા માટે દુઆ કરી હતી. રાપર જુમ્મા
મસ્જિદનાં પેશ ઇમામે નમાજ અદા કરાવી અને મૌલાના ફઝલે હકે ખુત્બો પઢાવ્યો હતો. આ પ્રસંગે રાપર સુન્ની મુસ્લિમ
જમાતનાં પ્રમુખ હાજી ઈસ્માઈલભાઈ પણકા, રાપર જુમ્મા મસ્જિદના મુતવલી હાજીભાઈ ખાસકેલી, મહમદભાઈ નોડે, કુતુબશા શેખ, ચાંદાજી
સમા, રમઝાન મહિડા, ગુલામ રસુલ ચૌહાણ,
જાનખાન બલોચ, ઈસ્માઈલ ટાંક, અનવર ઝરીયા, રમજુ જીવાણી, લાલમામદ
રાઉમા, ગુલમામંદ ટાંક, હાજી કાસમ સોઢા,
સૈયદ હાશમશાહ બાપુ, સૈયદ હુસેનશાહ બાપુ સહિત મોટી
સંખ્યામાં બિરાદરો ઉપસ્થિત રહ્યા હતાં. માણાબામાં
ઈદની મુબારકબાદી પાઠવી : રાપરનાં માણાબામાં ઇદ ઉલ અજહાની અદાયગી છતાપીર કબ્રસ્તાન ખાતે
આવેલી ઇદગાહ પર કરવામાં આવી હતી. મૌલાના સજ્જાદ એહમદ હુશેન દ્વારા ખુતબો પઢાવવામાં
આવ્યો હતો. કુરબાની આપવાનાં મકસદ વિશે સમજણ આપી વિશ્વ શાંતિ અને હિન્દુસ્તાનની તરક્કી
સલામતી અને વફાદારી સાથે દેશને જરૂર પડે ત્યારે કુરબાની આપવા પણ તૈયાર રહેવા જણાવ્યું
હતું. આગેવાનો હાજી અલ્લારખાભાઇ રાઉમા(પ્રમુખ ગુલશને મોહંમદી ટ્રસ્ટ), રમઝુભાઇ રાઉમા (માજી સરપંચ), મામદભાઇ મુતવલી,
રમઝુભાઇ મિરાણી, સુલતાન સંતાણી, બાબુભાઇ લાખાણી, અકબરભાઇએ રાઉમા (કોષાધ્યક્ષ,
ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા અને માણાબા સરપંચ) ઉપસ્થિત રહ્યા હતાં.
નમાજ બાદ મોટા પીર દરગાહ ખાતે દરૂદ ફાતેહા સલામી પઢી એકબીજાને ગળે મળી ઇદની શુભેચ્છાઓ
પાઠવી હતી. અંજાર : મુખ્ય ઈદગાહ ઉપર ઈદ-ઉલ -અઝહાની નમાઝ મેહબુબશાબાવાએ પઢાવી હતી. નમાઝ
બાદ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી આપી હતી. નમાઝ બાદ ઈદ મિલનનો કાયક્રમ કમિટી દ્વારા
રાખવામા આવ્યો હતો, જેમા લોહાર અબ્દુલ અઝીઝ, સૈયદ હાજી અનવરશાહ બાવા સાહેબ એડવોકેટ શેખ ગુલામશા, શેખ
નૂરશાભાઈ, સાધાણી રોશનઅલી, પીંજારા હાજી
રફીકભાઈ, રાયમા હાજી કાશમભાઈ, હાજી ખત્રી
મોહમદહુશૈનભાઈ ત્થા મોટી સંખ્યામા આગેવાનો
અને મુસ્લિમ બીરાદરો હાજર રહ્યા હતા. અંજાર
: ઐતિહાસિક સુમરા મસ્જિદમાં સૈયદ ફરહાન બાપુ જાફરશા બાવા દ્વારા ઈદની નમાજ અદા કરાવાઇ
હતી આ સમયે મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને સમાજ ના આગેવાન સૈયદ અનવરશા બાવા એ કૌમી એકતા
નો સંદેશ આપતા જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજ હમેશાં હમ વતન ભાઈઓ સાથે પ્રેમ અને ભાઈચારા
સાથે અમન અને શાંતિ પૂર્ણ રીતે રહે છે ત્યારે મુસ્લિમ સમાજ વધુ મજબૂતી સાથે વતનની મહોબત
તેમજ હમવતન ભાઈઓ સાથે ભાઈચારો અને મોહબ્બતનો પૈગામ આગળ વધારવા અપીલ કરી હતી.. ઈદની
ખુશીના પ્રસંગ દરેક ધર્મ-જાતિના ભેદભાવ વગર યતિમો, વિધવાઓ,
મજલૂમો, ગરીબો, લાચારો અને
જરૂરતમંદો પ્રત્યે હમદર્દી અને મદદની અપીલ કરી હતી. દેશમાં અમન - શાંતિ અને ભાઈ ચારા
સાથે દેશની ઉન્નતિ માટે અલ્લાહની બારગાહમાં વિશેષ દુઆ અરજ કરી હતી. નખત્રાણા : ગામની
મસ્જિદમાં મૌલાના મોહયુદ્દીન અજમેરીએ ખુત્બો અને ઇદ નમાજ પઢાવી હતી. મુતવલી હાજી ઇશાક
કુંભાર, હાજી લિયાકત આરબ, હાજી આધમ ખત્રી,
ગફુર ખલિફા, હાજી અલીમામદ, સમા શકીલ તેમજ જમાતના ભાઇઓ હાજર રહ્યા હતા. નવાનગર : મૌલાના અબ્દુલસતારભાઇએ
ઇદ નમાજ પઢાવી હતી. સમાજના મુતવલીઓ હાજી મુસા કુંભાર, સુલેમાન
લોહાર, પ્રમુખ ઇબ્રાહિમ રાયમા, ખત્રી ખમીશાભાઇ,
અનવર ચાકી (પૂર્વ મુતવલી), હાજી હારુન લોહાર,
ઇસ્માઇલ ચાકી, સુલેમાન (કારાભાઇ), પીંજારા સુલેમાન, જુસબ ખલીફા, ધશાક
કુંભાર વગેરે જોડાયા હતા. સુરલભિટ્ટ વિસ્તાર : મૌલાના જાવેદભાઇએ ઇદ નમાજ અદા કરાવી
હતી. મુતવલી હાજી મામદ રાયમાએ ઇદ વિશે ઉદ્બોધન આપ્યું હતું. કુંભાર સતાર, સલીમ ખત્રી, ઉમર ચૌહાણ, ગુલામ રાયમા,
સિકંદર લંગા, રફીક કુંભાર, હાજી ગની, ફિરોજ મગરિયા, કુંભાર
આધમ (મૌલાના) વગેરેએ આયોજન ઘડયું હતું. વિગોડી (તા. નખત્રાણા) : મૌલાના ઇસ્માઇલ સાટીએ
ઇદ નમાજ પઢાવી હતી. હાજી મામદ ચાકી, અલીમામદ લોહાર, અબ્દુલા પિંજારા, કુંભાર ઓસમાણ, સાટી સુલેમાન, મૌલાના યાકુબ, ખલીફા
સિધીક, લુહાર જુસબ, ડાડા સાટી, યુવક મંડળના યાશીન ચાકી વગેરે હાજર રહ્યા હતા. સરપંચ ભરત વાઘેલા ખાસ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી. મોટી વિરાણી : મુસ્લિમ
સુન્નતવલ જમાતના ઉપક્રમે ઇદ-ઉલ-અઝહા (કુરબાની ઇદ)ની ઉજવણી કરવામાં આવી હતી. મસ્જિદે
તયબાહથી મુસ્લિમ બિરાદરો તકબિરો પડતા પડતા બસ સ્ટેશન પાસેની ઇદગાહ પર જમા થયા હતા જ્યાં
પ્રથમ મૌલાનાએ તકરીરમાં ઇદનું મહત્ત્વ સમજાવ્યું હતું અને નમાજ અદા કરાવી હતી. અબડાસાના
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા હાજર રહી ઇદ મુબારક પાઠવતાં કહ્યું હતું કે,
એક-મેકમાં લાગણી, પ્રેમ, ભાઇચારાની આલે થાય એવો ખુશીના ઇદના તહેવારો કે અન્ય ધાર્મિક પ્રસંગો એકતાની
પ્રણાલિથી કચ્છમાં ઉજવાય છે એ જ કચ્છની તાસિર છે. ધારાસભ્યનું મુસ્લિમ જમાત વતી સન્માન
કરવામાં આવ્યું હતું. પ્રમુખ અદ્રેમાન ચાકી, મુતવલી હાજી દાઉદ
ચાકી, ઉપપ્રમુખ રમજાન કુભાર, મહામંત્રી
ઉમર ખત્રી (કચ્છમિત્ર), અલીમામદ ખલીફા, ઉમર ખલીફા, જાકબ સાટી, અદ્રેમાન
સમેજા, ઇમ્તિયાઝ બાવા, બાબુ લોહાર,
શબ્બીર લંગા, ધુલાભાઇ કુંભાર, સરપંચ પ્રતિનિધિ ગોવિંદભાઇ બળિયા, પ્રેમજીભાઇ બળિયા વગેરે
ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન નૂરમામદ ખત્રીએ કર્યું હતું. - ભચાઉમાં ઉત્સાહભેર ઉજવણી : ઈદ નમાઝ મુખ્ય ઈદગાહ તથા તયબાહ મસ્જિદમાં
થઈ હતી. તયબાહ મસ્જિદના મુતવલી કુંભાર હાજી બુઢા જુમા તથા જુમા મસ્જિદના મુતવલી રાઉમા
મહેબૂબ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. આ પ્રસંગે સુન્ની મુસ્લિમ જમાત ભચાઉ પ્રમુખ
હાજી આમદશા શેખ, ઉપપ્રમુખ અલી અકબર બલોચ,
મહામંત્રી અઝીમ શેખ, ફિરોઝ રાજા, મંત્રી રાયમા આમદ સિદિક સોઢા, ખજાનચી અલીભાઈ કુરેશી,
સૈયદ અસગરઅલી ભચલશા, સૈયદ શેરઅલી ભચલશા (પૂર્વ
કારોબારી ચેરમેન ભચાઉ નગરપાલિકા) તથા રસુલ શેખ વગેરે અગ્રણીઓ તેમજ ભચાઉ શહેર તથા આસપાસનાં
ગામોના મુસ્લિમ ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઈદ નમાઝ અદા કરી એક બીજાને
ઈદની શુભેચ્છા પાઠવી હતી. - મુસ્લિમ ધર્મગુરૂ દ્વારા કચ્છવાસીઓને
ઈદની શુભેચ્છાઓ : કચ્છની કોમીએકતાનાં પ્રતીક અને સેવાભાવી સંત દુઆગીર પીર સૈયદ
કૌશરઅલીશાહ હાજીમખદુમઅલી બાપુ એ ઈદ નિમિતે શુભેચ્છાઓ પાઠવી કચ્છ અને સમગ્ર ભારતવાસીઓ
માટે દુઆ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઈદ ઉલ અઝહાનો મુખ્ય ઉદ્દેશ સત્યતા માટે દરેક પ્રકારની કુરબાની-બલીદાન આપવા
નું છે.દરેક માનવીએ પોતાની વાસનાઓ, મોહ-માયાની ઝાળથી મુકતી આપવી,
પોતાનાં દેશનાં રક્ષણ માટે માલી અને જાની કુરબાની આપવી, આસુરી શકિતઓથી સદાય જાગૃત રહી તેના શૈતાની પંજાથી મુકતી માટે કુરબાની આપવી,
સમગ્ર માનવજાત નાં દરેક નેક કાર્યો, સદકાર્યો માટે
જાની અને માલી કુરબાની આપવા તત્પર રહેવું. એજ આ ઈદ ઉલ અઝહાનું શાનદાર ભવ્ય સંદેશ છે.
એજ હેતુને પામવા સંત તુલસીદાસે ખુબજ આધ્યાત્મીક સંદેશ આપેલ છે જે કુરબાનીનો મુખ્ય મકસદ
છે.