ગાંધીધામ, તા. 7 : ભુજ-અમદાવાદ વચ્ચે દોડતી નમોભારત
રેપીડ રેલને આવતીકાલે તા. 9 જૂનથી વધારાના બે સ્ટોપેજ આપવામાં આવ્યા છે. રેલવે દ્વારા
જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે
આંબલી રોડ અને સાણંદ સ્ટેશન ખાતે પ્રાયોગિક ધોરણે સ્ટોપ મંજૂર કરાયા છે. આ કારણે ટ્રેનોના અમુક સ્ટેશનોમાં આગમન પ્રસ્થાનમાં
ફેરફાર થશે. આ ટ્રેન અમદાવાદથી સાંજે 5.30ના બદલે પાંચ મિનિટ વહેલી 5.25 કલાકે રવાના થશે. અને
સાબરમતી ખાતે 5.35 વાગ્યે પહોંચી 5.37 વાગ્યે રવાના, ચાંદલોડિયા ખાતે 5.40 વાગ્યે પહોંચી 5.42 કલાકે રવાના થશે. આંબલી રોડ ખાતે 5.45 કલાકે પહોંચી 5.50 કલાકે રવાના અને સાણંદ ખાતે 5.59 કલાકે પહોંચી 6.01 કલાકે રવાના થશે. વીરમગામ
ખાતે 6.27 કલાકે પહોંચી 6.29 કલાકે રવાના, ધ્રાંગધ્રા ખાતે 7.14 કલાકે પહોંચી 7.16 કલાકે રવાના અને હળવદ ખાતે
7.41 કલાકે પહોંચી 7.43 કલાકે રવાના થશે. અન્ય સ્ટેશનો
ઉપર સમયમાં કોઈ બદલાવ નથી કરાયો. એ જ રીતે ભુજથી 94802 ભુજ-અમદાવાદ ટ્રેન સાણંદ ખાતે 9.48 કલાકે પહોંચી 9.50 વાગ્યે રવાના થશે, આંબલી રોડ ખાતે 9.59 કલાકે પહોંચી 10.01 કલાકે અને ચાંદલોડિયા ખાતે 10.08 કલાકે અને સાબમતી 10.20 કલાકે પહોંચી 10.22 કલાકે રવાના થશે. અન્ય સ્ટેશનો ઉપર કોઈ બદલાવ નથી કરાયો.