નવી દિલ્હી, તા. 7 : કેનેડામાં
1પ જૂનથી યોજાનારી જી-7 શિખર મંત્રણા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને
આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત-કેનેડા વચ્ચે તનાવપૂર્ણ સંબંધો વચ્ચે આ આમંત્રણને
લઈને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું હતું કે, જી-7 દેશો તેમના આગામી સમિટમાં સુરક્ષા અને ઊર્જા સહિતના મહત્ત્વપૂર્ણ
મુદાઓ પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે, આંતર-સરકારી રાજકીય અને આર્થિક મંચમાં ભારતની હાજરી જરૂરી છે. કાર્નીએ કહ્યું
હતું કે, ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને
સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પણ છે, તેથી તે ચોક્કસપણે આ સ્થાને
હોવું જોઈએ. તેમણે કહ્યું, `આ સંદર્ભમાં, હું તમને બે પાસાં જણાવીશ. કેનેડા જી-7ના પ્રમુખની ભૂમિકામાં છે અને અમારા જી-7 ભાગીદારો સાથેની ચર્ચામાં ઊર્જા, સુરક્ષા, ડિજિટલ ભવિષ્ય,
મહત્ત્વપૂર્ણ ખનિજો અને અન્ય મુદ્દાઓ પર મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ સામેલ છે.
ઉપરાંત ઊભરતા અને વિકાસશીલ દેશોમાં માળખાગત સુવિધાઓના નિર્માણમાં ભાગીદારીનો સમાવેશ
થાય છે. - કાર્નીએ ભારત
વિશે શું કહ્યું ? : તેમણે કહ્યું, `કેટલાક દેશો
એવા છે જેમને આ ચર્ચાઓમાં સામેલ કરવા જોઈએ અને જી-7 પ્રમુખ તરીકે હું આ નિર્ણયો લેવામાં કેટલાક અન્ય દેશોની સલાહ
લઈશ. ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે. અસરકારક રીતે વિશ્વનો સૌથી વધુ
વસ્તી ધરાવતો દેશ છે, તે ઘણી પુરવઠા
ચેઈનના કેન્દ્રમાં છે, તેથી તે અર્થપૂર્ણ છે' કાર્નીએ કહ્યું હતું કે, ભારત અને કેનેડાના કાયદા અમલીકરણ
પર કામ કરી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું આમંત્રણ સ્વીકાર્યું છે.
- પીએમ મોદીએ શું કહ્યું ? : ઉલ્લેખનીય
છે કે, શુક્રવારે વડાપ્રધાન મોદીએ પુષ્ટી આપી હતી કે,
તેઓ કેનેડાના પીએમ માર્ક કાર્નીના આમંત્રણ પર કેનેડામાં આગામી ગ્રુપ
ઓફ સેવન નેતાઓના સમિટમાં હાજરી આપશે. `કેનેડાના પ્રધાનમંત્રી માર્ક જે. કાર્ની સાથે ફોન પર વાત કરીને
આનંદ થયો. - કેનેડામાં
અમે મોદીને ઘેરશું : પન્નુ : અમૃતસર, તા. 7 : ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ એક વીડિયો જારી કરીને
દાવો કર્યો હતો કે, જી-7 શિખર સંમેલન દરમ્યાન કેનેડામાં ભારતના વડાપ્રધાન
નરેન્દ્ર મોદીને ઘેરશું. આઠમી જૂન, 2023ના દિવસે થયેલી હરદીપસિંહ નિજ્જરની
હત્યા અંગે મોદી પાસે અમે જવાબ માગીશું, તેવું પન્નુએ કહ્યું હતું. અમે જી-7 દેશો અને વૈશ્વિક મીડિયા સમક્ષ સીધા નરેન્દ્ર મોદીની રાજનીતિ
પર હુમલો કરીશું, તેવું શીખ
ફોર જસ્ટિસ સંગઠનના પ્રમુખ પન્નુએ જણાવ્યું હતું. એટલું જ નહી, પરંતુ તેણે એવો ગંભીર આરોપ પણ મૂક્યો હતો કે, મોદીએ જ
ખાલિસ્તાન જનમત સંગ્રહના સંયોજક નિજ્જરની હત્યા કરાવવાનો આદેશ આપ્યો હતો. મોદીને ઓપરેશન
સિંદૂર વખતે પાકની મસ્જિદો પર હુમલા અને નાનકાના સાહેબને બોમ્બથી ઉડાવવાની કોશિશના
આરોપોનો જવાબ આપવો પડશે, તેવું પન્નુ બોલ્યો હતો. ખાલિસ્તાની
આતંકવાદીએ કહ્યું હતું કે, ભલે કેનેડામાં હિન્દુ સમર્થકો મોદીને
જી-7 આમંત્રણની ઉજવણી કરતા હોય, પરંતુ આ ઉજવણી લાંબો સમય નથી ટકવાની.