આનંદ વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 7 : લોકસભામાં
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપની જીત સુનિશ્ચિત કરવા
મેચ ફિક્સિંગ કરાયું હતું, તેવો ગંભીર
આરોપ મૂકતાં રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસ સાંસદના નિવેદનથી ઘમસાણ વચ્ચે
ચૂંટણીપંચે રાહુલના આ દાવાને નિરાધાર લેખાવીને કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાના આરોપ કાયદાના શાસનનું જ નહીં, પરંતુ
લાખો ચૂંટણી કર્મીઓનું અપમાન છે. ચૂંટણીપંચે તીખો કટાક્ષ કરતાં કહ્યું હતું કે,
મેચ હારી ગયા બાદ રેફરીને દોષ દેવો એ નવી અને વાહિયાત આદત છે. ભાજપના
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પલટવારમાં કહ્યું હતું કે, કોંગ્રેસ
નેતા અનેક ચૂંટણીમાં હારથી હતાશ અને દુ:ખી છે, એટલે આવા આરોપો
મૂકી રહ્યા છે. કોંગ્રેસ જ્યોર્જ સોરોસની રણનીતિ પર કામ કરે છે, તેવું ભાજપ નેતા અમિત માલવિયએ જણાવ્યું હતું. ભાજપે મહારાષ્ટ્રમાં ચોરી કરીને
ચૂંટણી જીતી છે. હવે બિહારમાં મેચ ફિક્સિંગ થશે, તેવા રાહુલના
આરોપ બાદ કેસરિયા પક્ષે પલટવાર કરતાં આરોપને શરમજનક લેખાવ્યા હતા. ભાજપ પ્રવક્તા તુહિન
સિંહાએ કહ્યું હતું કે, ચૂંટણીપંચે અવા મુદ્દાઓ પર અગાઉ પણ સ્પષ્ટ
જવાબ આપ્યા છે. રાહુલ આવા આરોપો મૂકીને ફરીવાર દેશની સંસ્થાઓને બદનામ કરવાની કોશિશ
કરી રહ્યા છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલો `મેચ ફિક્સિંગ મહારાષ્ટ્ર' શીર્ષકવાળો લેખ `એક્સ'
પર શેર કરતાં વિધાનસભા ચૂંટણી દેશના લોકતંત્રને નુકસાન પહોંચાડવાની સુનિયોજિત
યોજના હતી. ચૂંટણીમાં મેચ ફિક્સિંગ જેવી ગતિવિધિઓથી જનતાનો બિહારમાંય ચૂંટણી ફિક્સિંગ ચૂંટણી પરિણામો પરથી
ભરોસો ઊઠી જાય છે. દરેક જાગૃત ભારતીયએ સમજી વિચારીને ફેંસલો લેવો જોઈએ. મહારાષ્ટ્ર
જેવું જ ચૂંટણી જીત માટેનું મેચ ફિક્સિંગ બિહારમાં પણ કરાશે અને જ્યાં-જ્યાં ભાજપને
હાર મળી હશે, ત્યાં પણ કરાશે તેવો આરોપ કોંગ્રેસ સાંસદે મૂક્યો
હતો. ભાજપના આઈટી સેલના અધ્યક્ષ અમિત માલવિયએ કહ્યું હતું કે, રાહુલ વારંવાર ઈરાદાપૂર્વક આપણા સંસ્થાગત ઢાંચા વિશે મતદારોના મનમાં શંકા અને
ભ્રમનાં બીજ રોપવાની કોશિશ કરે છે. કોંગ્રેસ કર્ણાટક કે તેલંગાણા કે ગમે ત્યાં ચૂંટણી
જીતે ત્યારે આ જ સિસ્ટમને કોંગ્રેસ સાંસદ ન્યાયપૂર્ણ અને નિષ્પક્ષ લેખાવે છે,
પરંતુ જ્યારે મહારાષ્ટ્રથી હરિયાણા સુધી હાર થાય છે, ત્યારે આ જ સિસ્ટમ ખોટી લેખાવે છે, તેવા પ્રહાર માલવિયએ રાહુલ પર કર્યા
હતા. ચૂંટણીપંચે રાહુલ ગાંધીના આરોપોને સાવ તથ્યવિહોણા લેખાવતાં કહ્યું હતું કે,
મતદાર યાદી તૈયાર કરવાથી માંડીને મતદાન, મતગણતરી
સહિત પ્રત્યેક ચૂંટણીની પૂરી પ્રક્રિયા સરકારી કર્મચારીઓ દ્વારા થાય છે. એ આખો દેશ
જાણે છે. ચૂંટણીના પરિણામો પોતાના પક્ષમાં ન આવે ત્યારે આવા આરોપોથી ચૂંટણીપંચને બદનામ
કરવાની કોશિશ કરવી અણછાજતું કૃત્ય છે, તેવું રાહુલને સાથે પંચે
કહ્યું હતું. ચૂંટણીપંચ તરફથી મતદાનમાં ગરબડોના આક્ષેપોના જવાબમાં જણાવાયું હતું કે,
મતદાનના દિવસે સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી 6.41 કરોડ મતદાતાએ મતદાન કર્યું
હતું. એટલે કે, પ્રતિ કલાક 58 લાખ મત પડયા હતા. આ ગણતરી પ્રમાણે
છેલ્લા બે કલાકમાં 116 લાખ વોટ પડી
શકે છે, પરંતુ છેલ્લા બે કલાકમાં માત્ર 65 લાખ મત પડયા હતા જે સરેરાશ
કરતાં ઓછા છે.