• શનિવાર, 20 એપ્રિલ, 2024

કૂનોમાં વધુ બે બાળ ચિત્તાના મૃત્યુ

નવી દિલ્હી, તા.25 : કૂનો અભયારણ્યમાંથી ફરી એકવાર માઠા સમાચાર આવ્યા છે. નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાનાં વધુ બે બચ્ચાનાં મૃત્યુ થઈ ગયા છે. આ પહેલા 23મીએ પણ એક બચ્ચાનું મોત નિપજ્યું હતું. આ ચિંતાજનક સમાચારને પગલે હવે બાકીનાં 3 બચ્ચા અને માદા ચિત્તો જ્વાલાને વન્યપ્રાણી ચિકિત્સકોની ટીમની દેખરેખ હેઠળ રાખી દેવામાં આવ્યા છે. આમ, કુલ મળીને અત્યાર સુધીમાં 3 બચ્ચા અને 3 ચિત્તાનાં કૂનો નેશનલ પાર્કમાં મૃત્યુ થઈ ગયા છે. મધ્યપ્રદેશનાં મુખ્ય વન સંરક્ષક તરફથી જણાવવામાં આવ્યું હતું કે, 23મી મેથી ભીષણ ગરમી અને લૂ ફૂંકાતી રહી છે. જેનાં કારણે ત્રણ બચ્ચાને અસામાન્ય સંજોગો અને હવામાન ધ્યાને રાખતા બચાવી લેવાયા હતાં અને પ્રાણી ચિકિત્સકો પાસે તેમનો સારવાર કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે આ દરમિયાન બે બચ્ચાની હાલત અત્યંત નાજૂક થઈ ગઈ હતી અને સારવાર દરમિયાન જ તેનાં મોત થઈ ગયા હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang