• રવિવાર, 08 જૂન, 2025

નાના કપાયામાંથી જ તાર બદલતી વેળાએ કરંટ લાગતાં આધેડનું મોત

ભુજ, તા. 7 : મુંદરાના નાના કપાયામાં વીજતાર બદલતી વેળાએ વીજળીનો જોરદાર કરંટ લાગતાં મૂળ પંચમહાલ બાજુના 51 વર્ષીય શ્રમિક વજેસિંઘ બલાભાઈ બારિયાનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ અંગે મુંદરા પોલીસ મથકે જીઈબીના ખાનગી કોન્ટ્રાક્ટર ગોવિંદભાઈ પટેલે જાહેર કરેલી  વિગતો મુજબ વજેસિંઘ મૂળ તેમના જ ગામનો હતો અને હાલે શિરાચા રહેતો હતો અને તેની સાથે કામ કરતો હતો. આજે સવારે નાના કપાયામાં શાંતિવન કોલોનીવાળા રસ્તે મારુતિ કોમ્પ્લેક્સ પાસે 11 કે.વી. વીજલાઈનના જૂના તાર બદલાવી નવા તાર નાખવાની કામગીરી દરમ્યાન વજેસિંઘને વીજળીનો કરંટ લાગતાં તેનું મૃત્યુ થયું છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd