• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : ભદ્રાબેન ભૂપેન્દ્રભાઈ વાઘેલા (ઉ.વ. 51) તે સ્વ. વસંતબેન શામજીભાઈ વાઘેલાના પૌત્રી, ગં.સ્વ. કૌશલ્યાબેન ભૂપેન્દ્રભાઈ વાઘેલાના પુત્રી, અલ્પાબેન, જયરાજ વાઘેલાના બહેન, જયશ્રીબેન કૃષ્ણાકાંત વાઘેલા, હેમલતાબેન ઈશ્વરભાઈ વાઘેલા, ધર્મિષ્ઠાબેન મિનેશભાઈ વાઘેલા, જ્યોતિબેન પ્રકાશભાઈ વાઘેલા, સ્વ. ઉર્મિલાબેન રમેશભાઈ સિંધલ, ભગવતીબેન પુરુષોત્તમભાઈ ચાવડા, ગીતાબેન દીપકભાઈ પરમાર, દર્શનાબેન જિતેન્દ્રભાઈ પરમારના ભત્રીજી, સ્વ. કાન્તાબેન મગનભાઈ વણોલના દોહિત્રી, ઉર્મિલાબેન અશોકભાઈ વણોલ, નયનાબેન અનિલભાઈ વણોલ, કલ્પનાબેન સુરેશભાઈ વણોલ, આશાબેન મહેશભાઈ મોઢના ભાણેજી તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-8-2026ના સાંજે 5 થી6 ગોસ્વામી સમાજવાડી, રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ/માંગરોળ : દમયંતીબેન ખિલોસિયા (કંદોઇ) (ઉ.વ. 76) તે જેઠાલાલ ચત્રભુજ ખિલોસિયાના પત્ની, સ્વ. દિવાળીબેન કેશવલાલ સુખડિયાના પુત્રી, સ્વ. વાડીલાલ, સ્વ. ઝવેરીલાલ, કિશોરના બહેન, ગં.સ્વ. પ્રભાબેન, ભાવનાબેનના નણંદ, નીતા પ્રોમિસકુમાર વાસરાણી (ચેન્નાઇ), ભામિની યોગેશકુમાર પઢિયાર (મુંબઇ), મમતા, મેહુલ, ધર્મિષ્ઠા ઉમેશકુમાર રૂપડા (ધનબાદ)ના ફઇ, ક્રિષ્નાબેનના ફઇજી સાસુ તા. 16-8-2026ના અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ ડુમરાના વઝીર જુલેખાબેન (જીલુબાઈ) (ઉ.વ. 96) તે મ. વઝીર નૂરમુહમ્મદ (ભાભાશેઠ)ના પત્ની, વઝીર ફરીદ, વઝીર અઝીઝ, વઝીર મુહમ્મદના માતા, વઝીર સિધિકના મામી, વઝીર ખાલીદ, સલીમ, સોહેલ, બખ્તાવર, ઈમરાનના દાદી, કાઠી અબ્દુલરઝાક અબ્દુલ્લાહ, સલીમ અને અસલમ (ડુમરા)ના માસી, વઝીર સિકંદર, હુશેન, સલમાન, અબ્દુલ વાહીદ, મો. સાહીદ, મો. સાજીદ, મો. આમીરના નાની તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-8-2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 માંજોઠી જમાતખાના, જેષ્ઠાનગર, કેમ્પ એરિયા, ભુજ ખાતે. મુકરીર વાયેજિન : અલ્લામા અલ્હાઝ કાતિબ અહેમદ સાહેબ રાજસ્થાનવાળા રહેશે.

માંડવી : સુમરા ઇલિયાસ જાફર (ઉ.વ. 64) તે સુમરા ઇબ્રાહિમ જાફર, મ. મજીદ જાફરના ભાઇ, હાફીલ, નૌશાદ, આબીદના પિતા, હબીબ, રઝાક, અસ્લમના મોટાબાપા તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-8-2026ના ગુરુવારે સવારે 10થી 11 વલ્લભનગર જમાતખાના, માંડવી ખાતે.

નખત્રાણા : મૂળ સિયોતના ગં.સ્વ. ગોદાવરીબેન લાલજી ગટ્ટા (ઉ.વ. 82) તે સ્વ. ઠક્કર લાલજી ગોપાલજીના પત્ની, સ્વ. ગોપાલજી સુંદરજીના પુત્રવધૂ, મહેન્દ્રભાઇ (પ્રિન્સ મોબાઇલ), ભરતભાઇ (પ્રિન્સ મોબાઇલ-દયાપર), સવિતાબેન મંગલદાસ નરમ (કુરિયાણી હાલે ભુજ), ગીતાબેન કિશોરભાઇ સોમૈયા (કેરા)ના માતા, સ્વ. અરૂણાબેન, ધર્મિષ્ઠાબેનના સાસુ, સ્વ. બાબુલાલ, વિઠ્ઠલદાસ ગોપાલજી, મંગળાબેન વિઠ્ઠલદાસ ડોડેચા (ઘડુલી)ના ભાભી, દર્શન, ભાવેશ, ધવલ, પીયૂષ, હેમાનીબેન મીતભાઇ કેશરિયા (કોઠારા)ના દાદી, પ્રફુલભાઇ (ઉગેડી), સચિનભાઇ, ભાવેશભાઇ (બંને પુના), દક્ષાબેન (મોરબી), મધુબેન (નખત્રાણા), નીમાબેન, લખમાબેન (વેરાવળ), હિનાબેન (પુના)ના મોટામા, સ્વ. રામજી અરજણ રૂપારેલ (લાખાપર હાલે ઘડુલી)ના પુત્રી, મથરાદાસ, શંકરલાલ, બાબુલાલ (ઘડુલી), મંજુલાબેન શંકરલાલ રાજદે (નખત્રાણા), ગૌરીબેન અશોકભાઇ બારૂ (નખત્રાણા), મંગળાબેન કલ્યાણજી તન્ના (ઘડુલી)ના બહેન, જયેત્ર, નિપુ, વિહા, કેશવી, રિદ્ધિના પરદાદી તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 20-8-2026ના ગુરુવારે સાંજે 4થી 5 સતી રૂડીમા સ્થાનક મંદિર, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

ભચાઉ : લાલજીભાઇ વિસાભાઇ (ઉ.વ. 56) તે સ્વ. ડાઇબેન વિસાભાઇના પુત્ર, રેખાબેનના પતિ, ભાવેશ, કાજલબેનના પિતા, વાલજીભાઇ ભચુભાઇના ભત્રીજા, ચંદ્રેશભાઇ, સાવિત્રીબેનના ભાઇ, રૂપલબેનના જેઠ, ભાવિકાબેન, મુકેશભાઇના સસરા, મોહનભાઇ, નારણભાઇ, રમેશભાઇ, સ્વ. બાબુભાઇના કાકાઇ ભાઇ, ચિરાગ તથા હેતલના મોટાબાપા, જયના નાના, કૌશિકના મામા તા. 16-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-8-2026ના સાંજે 4.30થી 6.30 નિવાસસ્થાને ભવાનીપુર શેરી નં. 12, ભચાઉ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળજી મેઘજી મારૂ (બાબુલાલ) (ઉ.વ. 75) તે મુક્તાબેનના પતિ, હિરેનભાઇ, વિપુલભાઇ, નીતાબેન કાન્તિલાલ મકવાણા (વિથોણ), રંજનાબેન લોકેશ જૈન (સુરત), જ્યોતિબેન મહેશ પંડયા (પાદરા)ના પિતા, સ્વ. શિવજી મેઘજી મારૂ, સ્વ. દેવજી મેઘજી મારૂ, દામજી મેઘજી મારૂ, જયાબેન જગદીશભાઇ પિત્રોડાના ભાઇ, મોહનભાઇ, તુલસીદાસ, રમેશભાઇ, શંકરભાઇ, ચંદુલાલના કાકા, રુદ્ર, આરવી, ક્રિયા, પ્રાસીના દાદા, કલ્યાણજી વાલજી ઉમરાણિયા (કોટડા)ના જમાઇ તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-8-2026ના ગુરુવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ ભવન (મિત્રી સમાજવાડી), માધાપર ખાતે.

કુકમા : કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજના કલ્પેશ મહેન્દ્રભાઈ પરમાર (ઉ.વ. 52) તે જાગૃતિબેનના પતિ, વિજયાબેન મહેન્દ્રભાઈ પરમાર (માજી સરપંચ, પૂર્વ ઉપપ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ, કુકમા)ના પુત્ર, જમનાબેન અમૃતલાલભાઈ પરમારના પૌત્ર, ભાવનાબેન ઉમેશ ચૌહાણના ભાઈ, જયસિંહ પરમાર, અશોકભાઈ પરમાર, અરુણભાઈ પરમાર, રેખાબેન, ઈન્દુબેન ઉમાકાન્ત વાઢેર, હંસાબેનના ભત્રીજા, પ્રાચી, ધ્યાનીના પિતા તા. 18-08-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 19-08-2026ના બુધવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન, વચલી શેરી (ઉપર બાજુ) કુકમાથી નીકળશે.

સુખપર (તા. ભુજ) : મૂળ વિથોણના કમળાબેન (ઉ.વ. 50) તે શંકરલાલ નરશીભાઇ મકવાણાના પત્ની, મુકેશભાઇ, રસીલાબેનના ભાભી, આકાશ, ટિંકલ, આશાના માતા, દેવજીભાઇ કાનજીભાઇ પિત્રોડા (શિયોત)ના પુત્રી, મોહનભાઇ, કિશોરભાઇ, રાજેશભાઇ, રસીલાબેનના બહેન તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-8-2026ના ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા સમાજવાડી, સુખપર ખાતે.

પદ્ધર (તા. ભુજ) : ફાતમાબાઇ રમજુ બાવા તે રમજુ અભા બાવાના પત્ની, ઇસમાઇલ, લતીબ, હાજિયાણી ખતુબાઇ, સરીફાના માતા, હાજી મુસા, હાજી આમદના સાસુ, સલીમ, અરમાનના દાદી, રફીક, જાનમામદના નાની તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-8-2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાને રોટરી નગર, પદ્ધર ખાતે.

ગળપાદર (તા. ગાંધીધામ) : નાગદેબેન વિરડા (આહીર) (ઉ.વ. 88) તે કાનાભાઈ વિરડાના પત્ની, દાનાભાઈ વિરડાના પુત્રવધૂ, ડાયાભાઈ, ધનાભાઈ, લખુભાઈ, રૂડાભાઈ, ધનુબેન, જમુબેન, ડાઈબેનના માતા, રમેશભાઈ, જયંતભાઈ, નવીનભાઈ, રાજેશભાઈ, ભાવેશભાઈ, રામજીભાઈ, અલ્પેશભાઈ, સાકરબેન, મંજુબેન, ગીતાબેન, રામેશ્વરીબેન, કંકુબેન, જશુબેન, સોનુબેન, હેતલબેનના દાદી તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર તા. 19-8-2026ના બુધવારે પ્લોટ નંબર 479, ભૂમિ રેસિડેન્સી, ગળપાદર ખાતે.

સિનુગ્રા (તા. અંજાર) : ચાવડા સલેમાન અધાભા તે મ. સિરાચ આમદ ભચુના જમાઇ, અનવર ચાવડાના મોટા ભાઇ, મામદ રફીકના પિતા, અબ્દુલ કાદીરના સસરા, અલ્તાફ અને રમજાનના કાકા તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-8-2026ના ગુરુવારે સવારે 10થી 11 મુસ્લિમ સમાજવાડી, સિનુગ્રા ખાતે.

સિનુગ્રા (તા. અંજાર) : ક.ગુ.ક્ષ. જયાબેન મિત્રી (વાઢેર) (ઉ.વ. 85) તે સ્વ. હરજીભાઇ કાનજીભાઇ મિત્રી (વાઢેર)ના પત્ની, સ્વ. ડાઇબેન નાનજી હરદાસ ટાંકના પુત્રી, સ્વ. પાર્વતીબેન દેવરામભાઇ વાઢેરના દેરાણી, સ્વ. ઉજમબેન ધનજી ચૌહાણના ભાભી, જયંતભાઇ, દિલીપભાઇ, ગં.સ્વ. કસ્તૂરબેન, મધુબેન, મીનાબેન, રંજનબેનના માતા, સ્વ. પ્રભુલાલ (માધાપર), જયસુખભાઇ (અંજાર), અર્જુનલાલ (દબડા), પ્રફુલકુમાર (ગાંધીધામ), અનિતાબેન, ઉષાબેનના સાસુ, તૃપ્તિ, મિતિક્ષા, ભાવિક, પરાગ, ઉમંગના દાદી, સ્વ. નેતમભાઇ, પરસોત્તમભાઇ, સ્વ. શાંતિલાલ, મનોજના કાકી, પ્રતીક ચૌહાણ (વડોદરા), પરાગભાઇ ચાવડા (માધાપર)ના દાદીસાસુ તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 19-8-2026ના બુધવારે સાંજે 5થી 6 ક.ગુ.ક્ષ. સમાજવાડી, સિનુગ્રા ખાતે.

તલવાણા (તા. માંડવી) : વનરાજાસિંહ ઉર્ફે બટુકાસિંહ પ્રાગજીભા જાડેજા (ઉ.વ. 80) તે સ્વ. ઘનુભાના ભાઈ, સ્વ. પચાણજી, સ્વ. નારાણજીના કાકાઈ ભાઈ, નરેન્દ્રાસિંહ તથા હરપાલાસિંહના પિતા, મહાવીરાસિંહ, પ્રદીપાસિંહ, સુરુભાના કાકા, ધ્રુવરાજાસિંહ, જયદીપાસિંહ, સત્યપાલાસિંહ, ઋષિરાજાસિંહ, છત્રપાલાસિંહ, વીરેન્દ્રાસિંહના દાદા તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. આયાવાર તા. 21-8-2026ના શુક્રવારે તેમજ બેસણું તા. 22-8-2026ના શનિવાર સુધી અખાણી દરબારગઢ ખાતે તથા ઉત્તરક્રિયા (બારસ) તા. 29-8-26ના શનિવારે નિવાસસ્થાને.

રામપર-વેકરા (તા. માંડવી) : પ્રેમજી કરશન કેરાઇ (ઉ.વ. 81) તે વીરબાઇ પ્રેમજી કેરાઇના પતિ, લાલજી, પરબત, અમરબાઇ, મનીષાના પિતા તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 20-8-2026ના સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે રામપર સ્વામિનારાયણ મંદિર, રામપર-જૂનાવાસ અને બહેનો માટે નિવાસસ્થાને.

નાના કપાયા (તા. મુંદરા) : રામ બાનાયત (ઉ.વ. 64) તે સ્વ. સાંગા જેઠા બાનાયત તથા મેઘબાઈ (સોનબાઈ)ના પુત્ર, વિજય, જિતેન્દ્ર, રાજલ, આરતીના પિતા તા. 17-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17, 18, 19-08-2026 સુધી ક્ષેત્રપાળ મંદિર ઉપર, નાના કપાયા ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 27-8-2026ના નિવાસસ્થાન નાના કપાયા ખાતે

નાના કપાયા (તા. મુંદરા) : ખેતબાઈ લાખાભાઈ સોધમ (ઉ.વ. 95) તે સ્વ. લાખાભાઇના પત્ની, રાયસી પુનશી સોધમના પુત્રવધૂ, ડાહ્યાભાઈ, શામજીભાઈ (પૂર્વ સરપંચ નાના કપાયા), હરજીભાઇ, સ્વ. રાજબાઇ પાતારિયાના માતા તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ નિવાસસ્થાન નાના કપાયા ખાતે.

ટુંડા (તા. મુંદરા) : કુંભાર જેનાબાઈ મામદ (ઉ.વ. 62) તે કુંભાર રમજુના માતામોહસીન રમજુના દાદી, ઓસમાણ જુસબના ભાભી, આદમ ઇસ્માઇલ (ભુજપુર), કાલાણી રફીક હસન (ભુજ)ના સાસુ તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 20-8-2026ના 10.30થી 11.30 ઈબ્રાહિમ શાહ પીરની દરગાહ, ટુંડા ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : સૈયદ અમાબીબી આલમશા (ઉ.વ. 92) તે મ. અકબરશા, મ. નસીબશા, ગફુરશા, હૈદરશાના માતા, આલમશા (અભાબાવા), ઉમરશા, ગરીબશા, મોઇનશાના દાદી, ડો. હાજી હયાતશા વલીશા (ઝુરા), ઇબ્રાહિમશા મામદશાના સાસુ તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 20-8-2026ના ગુરુવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, નિરોણા ખાતે.

નલિયા (તા. અબડાસા) : ગુસાઈ ચિંતનગિરિ શંકરગિરિ (ઉ.વ. 43) તે ગુસાઈ સ્વ. તારાબેન શંકરગિરિના પુત્ર, આશાબેનના પતિ, ગુસાઈ તુલશીગિરિ શંકરગિરિ (રામપર વેકરા)ના જમાઈ, રોહનગર, હિતેષગર, દીપાબેન દિલીપગર (માધાપર)ના બનેવી, ગુસાઈ સ્વ. લતાબેન ચંદનગિરિ (જખૌ), કીર્તિદાબેન અશ્વિનભારથી (ભુજ), અંજનાબેન જિતેન્દ્રગિરિ (રાજકોટ), દીપેશગિરિના નાના ભાઈ, માયાબેનના દિયર, અનંત અને ભાગ્યના પિતા, વેલગિરિ ગોકુલગિરિના દોહિત્ર, પ્રાચી, નકુલ, જયદત્તના કાકા, હરિયાલી, મિતાલી, મિતેન, મૃણાલી, ગૌરવ, રોમહર્ષ, ઝીલના મામા, બલદેવગિરિ, કિશોરગિરિ, પ્રતાપગિરિ, તુલશીગિરિ, સરસ્વતીબેન નારાણગિરિ (માંડવી), મંજુલાબેન બલદેવગિરિ (ભુજ), વિશાખાબેન રમેશગિરિ (દહીંસરા)ના ભાણેજ તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 20-8-2026ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, છાડુરા નાકા પાસે, નલિયા ખાતે તથા સાસરા પક્ષનું બેસણું તા. 21-8-2026ના શુક્રવારે સવારે 9થી સાંજે 5 સુધી ગુસાઈ તુલસીગિરિ શંકરગિરિ (રામપર વેકરા)ના નિવાસસ્થાન ખાતે.

સુથરી (તા. અબડાસા) : જાડેજા જશુભા કલ્યાણજી (ઉ.વ. 78) તે સ્વ. જાડેજા દિલુભા, જોરુભા, વિક્રમસિંહ, કનકસિંહના નાના ભાઇ, કિશોરસિંહના પિતા, સુરેન્દ્રસિંહ, જયદીપસિંહ, વીરેન્દ્રસિંહના કાકા, હર્ષદીપ, યશરાજ, દિત્યરાજના દાદા તા. 18-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 29-8-2026ના નાના દરબારગઢ ખાતે.

બેંગ્લોર : મૂળ રાજકોટના વડનગરા નાગર ગં.સ્વ. દિનસુતા નીલકંઠરાય બૂચ તે અનિલ (એસ.બી.એસ.), સ્વ. કશ્યપ, હિતેનના માતા, વિભા તથા મીનાક્ષીના સાસુ, જિગરના દાદી, ભરતભાઇ વસાવડાના બહેન તા. 18-8-2026ના બેંગ્લોર ખાતે અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા રાખેલ નથી.

મોટા આસંબીયાના નલીની જયંતીલાલ નંદુની પુત્રી વિરલ (ઉં. 41)  તે ચારૂલતાબેન ચંપકલાલ સોનીના પુત્રવધૂ. જીતેન્દ્રના પત્ની. ધાર્મીના માતા. શિલ્પા, પારસના બેન અવસાન પામ્યાં છે.

ભુજપુરના ચંદ્રાબેન દેઢીયા (ઉં. 74)  તે લક્ષ્મીબેન રામજીના પુત્રવધૂ. મોણશીના પત્ની. પીયૂષ, સમીર, જ્યોતિના માતા. પાનબાઈ ડુંગરશી નાગશીનાપુત્રી. ઝવેરબેન જેંતીલાલ, દમયંતી વિવેક, સુરેન્દ્ર, મહેન્દ્ર, ઉષા સુરેશના બેન અવસાન પામ્યાં છે. (ચક્ષુદાન કર્યું છે.)

(સૌ.: કવીઓ જૈન ખબરપત્રિકા)

Panchang

dd