• ગુરુવાર, 26 ફેબ્રુઆરી, 2026

મેઘપર બોરીચીમાં દપંતીનાં ખાતાં તથા ક્રેડિટકાર્ડમાંથી રૂા. 3.52 લાખની ઉઠાંતરી

ગાંધીધામ, તા. 25 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં  રહેતા દંપતીનાં ખાતાંમાંથી અજાણ્યા શખ્સે રૂા. 3.52 લાખ સેરવી લીધા હોવાનો મામલો સ્થાનિક પોલીસ મથકે નોંધાયો હતો. બાગેશ્રી બંગ્લોઝ નં. 2માં  રહેતા અને ખાનગી નોકરી કરતા મધુકર દિનેશભાઈ રાઠોડે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસનાં સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત તા. 19/2ના બપોરે 12 વાગ્યાના અરસામાં ફરિયાદીનાં ખાતાંમાંથી નાણાં કપાયા હોવાનો સંદેશ આવ્યો હતો. તપાસ કરતાં ફરિયાદીના ક્રેડિટકાર્ડમાંથી રૂા. 68 હજાર તેમજ  ખાતાંમાંથી રૂા. 80,500 કપાયા હતા. આ ઉપરાંત ફરિયાદીના પત્નીનાં ખાતાંમાં જોડાયેલ ક્રેડિટકાર્ડમાંથી રૂા. 2,03,950 કપાયા હતા. નોંધપાત્ર છે કે, છેલ્લા લાંબા સમયથી ઓનલાઈન છેતરપિંડીના બનાવો વધ્યા છે. આ સ્થિતિમાં સાયબર ક્રાઈમમાંથી બચવા માટે લોકોને જાગૃત રહેવા પોલીસે અપીલ કરી હતી. 

Panchang

dd