• રવિવાર, 20 એપ્રિલ, 2025

નાની ખાખરમાં કોહવાયેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળ્યો

ભુજ, તા. 18 : મુંદરા તાલુકાના મોટી ખાખર જતા માર્ગ આવેલી વાડી પર મૂળ અમદાવાદના અને હાલમાં નવીનાળની લેબર કોલોનીમાં રહેતા અને ગરમીના કારણે સતત ચિંતામાં રહેતા પ્રદીપભાઈ ગેણશભાઈ મકવાણા (ઉ.વ. 45) નામના આધેડનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, હતભાગી  ગત તા. 16-4ના બપોરના અરસામાં કોલોની ખાતેથી કોઈને કહ્યા વિના ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ગુરુવારે મોટી ખાખર જતા માર્ગ પર પારસ વાટિકા વાડી પર કોહવાયેલી સ્થિતિમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd