• ગુરુવાર, 22 મે, 2025

સમાજની સેવા માટે તેનો પ્રત્યેક વ્યક્તિ જાગૃત બને એ આવશ્યક

કાઠડા (તા. માંડવી), તા. 18 : માંડવી ખાતે અખિલ કચ્છ ચારણ સમાજનો 29મો સમૂહ લગ્નોત્સવ અખાત્રીજ તા. 30/4ના યોજાશે, જેમાં 14 નવદંપતી પ્રભુતામાં પગલાં માંડશે. આ માટેની બેઠક લક્ષ્મણ રાગ ચારણ બોર્ડિંગમાં અ. કચ્છ ચારણ સમાજના પ્રમુખ દેવરાજભાઇ કરસનભાઇ ગઢવીનાં અધ્યક્ષ સ્થાને અને મંત્રી ભીમશીબાપાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. પ્રારંભે સમાજના ઉપપ્રમુખ દેવરાજભાઇ ગઢવીએ સંસ્થાઓ અંગે માહિતી તથા સમૂહલગ્ન આયોજનની રૂપરેખા આપી હતી. અગ્રણી ધારાશાત્રી ભુજના દેવરાજભાઇ ગઢવીએ સામાજિક ઉત્થાન માટે ચર્ચા કરતાં સમાજનો દરેક વ્યક્તિ સમાજસેવામાં જાગૃત થાય તે જરૂરી હોવાનું કહ્યું હતું. અધ્યક્ષ સ્થાનેથી પ્રમુખ દેવરાજભાઇ ગઢવીએ સમાજમાં શૈક્ષણિક વ્યવસ્થા વધે તે માટે જરૂરી સૂચનો કર્યાં હતાં અને આઇ સોનલ મા પ્રેરિત સમૂહ લગ્નોત્સવનું આયોજન ભવ્યાતિભવ્ય થાય અને આઇમાનો ઉદ્દેશ સાર્થક થાય તે માટે દરેક જ્ઞાતિગંગાની જવાબદારી હોવાનું કહ્યું હતું. સમાજના મહામંત્રી નારાણભાઇ ગઢવી, અગ્રણી ડોસાભાઇ બાતિયા, સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ભચુભાઇ ગઢવી, સોનલ બીજ ઉજવણી સમિતિના પ્રમુખ ઇશ્વરભાઇ ગઢવી (રાયણ), કાનજીભાઇ ગઢવી (સિંધોડી), પૂર્વ ના. કલેક્ટર દમયંતીબેન બારોટ વગેરે મંચસ્થ રહ્યા હતા. સતત ચોથા વર્ષના મહાપ્રસાદના દાતા અર્જુનભાઇ વિરાભાઇ બાટી તથા વિજયકુમાર અર્જુનભાઇ બાટી (મૂળ ગામ બુડધ્રો હાલે ગોવા)ના નામની જાહેરાત થઇ હતી. અન્ય રોકડ દાન તથા ઘરવખરી સહિતની ભેટ-સોગાદો સહિતના નામની જાહેરાતો થઇ હતી. બેઠકમાં માંડવી તા.પં. પૂર્વ પ્રમુખ હરિભાઇ ગઢવી, રાજદેભાઇ પાસ્તા, ભારૂભાઇ ગઢવી, ધનરાજભાઇ ગઢવી, મેઘરાજભાઈ ગઢવી, નારાણભાઇ ગઢવી (રાયણ), વાછિયાભાઇ ગઢવી, લક્ષ્મણભાઇ ગઢવી, હરદાસભાઇ ગઢવી, કમલેશભાઇ ગઢવી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવના વિધિકાર મુકેશ મારાજ (આશાપુરા મંદિર) હાજર રહ્યા હતા. અખાત્રીજના સમૂહ લગ્નોત્સવના દિવસે વહેલી સવારે માંડવા, હસ્તમેળાપ સાથે દેવલબેન ગઢવી દ્વારા લગ્નગીત રજૂ થશે તેવું સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ભચુભાઇ ગઢવીએ જણાવ્યું હતું. સંચાલન નાગાજણભાઈ ગઢવીએ કર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd