કેરા (તા. ભુજ), તા. 18 : કચ્છ સત્સંગ
જ્યાંથી પ્રગતિ પામ્યો તે પટેલ ચોવીસીના બળદિયા ગામે ઉપલોવાસ સ્વામિનારાયણ મંદિરમાં
સહજાનંદ સ્વામીની મૂર્તિ પ્રતિષ્ઠાને 50 વર્ષ પૂર્ણ થતાં ચાલી રહેલા મહોત્સવમાં ગામ સત્સંગમય બન્યું
હતું. કથા પ્રસંગો વર્ણવાયા હતા. શુક્રવારે કચ્છી લેવા પટેલ સમાજની ત્રણેય પાંખના સભ્યો
જોડાયા હતા. શ્રીજી મહારાજ લોજ ગામે રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લઈ ઉદ્વવ સંપ્રદાયના
અર્કસમ સ્વામિનારાયણ સત્સંગ સ્થાપ્યો ત્યારે તત્કાલીન ભક્તોના જીવન પરિવર્તિત થયાં.
કચ્છ આવ્યા હતા, ત્યારે સુંદરજી સુથાર સહિતના
સેવકોએ શ્રીજી મહારાજના શણગાર કર્યા હતા, પાઘ પહેરાવી તે પ્રસંગોને
તાદૃશ્ય ઊજવતાં સત્સંગીઓ ભગવાનના રંગે રંગાયા હતા. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી
ધર્મનંદનદાસજી સ્વામી, ઉપમહંત પુરાણી ભગવદજીવનદાસજી સ્વામી,
કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, પુરાણી શ્રીહરિદાસજી
સ્વામી, ભુજ મંદિર કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, આદિ સંતોની આજ્ઞા-પ્રેરણાથી ઊજવાઈ રહેલા આ ઉત્સવમાં ભાગ લેવા દેશ-વિદેશના હરિભક્તો
મોટી સંખ્યામાં ઊમટી પડયા છે. ગામને રોશનીથી શણગારાયું છે. શાત્રી સદ્ગુરુ ધર્મજીવનદાસજી
સ્વામી, કોઠારી પાર્ષદ શામજી ભગત જેવા સંતોની જન્મભૂમિ બળદિયાના
સહજાનંદ સ્પોર્ટસ ક્લબ મેદાનમાં સનાતની ધર્મધ્વજા હેઠળ 15 એપ્રિલથી ચાલી રહેલા ઉત્સવમાં
વરિષ્ઠ દાતા નારાણ મનજી કેરાઈ પરિવાર, લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણી પરિવાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કથાશ્રવણ કરી
રહ્યા છે. ઉત્સવના પ્રથમ દિવસે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજે સૌને આશીર્વચન પાઠવ્યા
હતા. 20/4ના બપોરે નીકળનારી શોભાયાત્રામાં
24 ગામની વાજિંત્ર મંડળીઓ જોડાશે.
યુ.કે., આફ્રિકાના નરનારાયણદેવ યુવક-યુવતી મંડળ,
વડીલો, સંતોની આગેવાની હેઠળ આયોજન સંભાળી રહ્યા
છે. નરનારાયણ દેવના જયઘોષ સાથે કથાપ્રસંગો આગળ ધપી રહ્યા છે. ભુજ-યુ.કે. સમાજના આગેવાનો
આ ઉત્સવમાં જોડાયા છે.