બેંગ્લુરુ, તા.17 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ
જો ઘરેલુ મેદાન પર સીઝનની પહેલી જીત હાંસલ કરવી હશે તો તેના બેટધરોએ શુક્રવારે રમાનારી
મેચમાં પંજાબના સ્પિન આક્રમણનો મજબૂતીથી સામનો કરવો પડશે. આરસીબી બેટરોને અહીંની ધીમી
પિચ પર ગુજરાત ટાઇટન્સના સ્પિનર સાઈ કિશોર અને દિલ્હી કેપિટલ્સના કુલદીપ યાદવ તથા વિપરાજ
નિગમ વિરુદ્ધ સંઘર્ષ કરવો પડયો હતો. હવે વિરાટ એન્ડ કંપની સામે યજુર્વેન્દ્ર ચહલનો
પડકાર રહેશે. સાથમાં મેક્સવેલ હશે. ચહલ અને મેક્સવેલ લાંબા સમય સુધી આરસીબી તરફથી રમી ચૂકયા છે.
આથી અહીંના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમની પીચથી સારી રીતે વાકેફ છે. કેકેઆર સામેની ઓછા સ્કોરવાળી
મેચમાં ચાર વિકેટ ઝડપી ફોર્મમાં પાછા ફરેલા ચહલનો સામનો આરસીબીના બેટર્સ માટે કસોટી
બની રહેશે. બીજી તરફ આરસીબી પાસે અનુભવી કુણાલ પંડયા અને સુયશ શર્માના રૂપમાં બે ઉપયોગી
સ્પિનર છે. આરસીબી કપ્તાન પાટીદારને આ બે પાસેથી સારા દેખાવની આશા રહેશે. પંજાબ પાસે
અર્શદીપ અને યાનસનના રૂપમાં બે સારા ફાસ્ટ બોલર છે,
જો કે આરસીબીના હેઝલવૂડ અને ભુવનેશ્વર જેટલા અનુભવી નથી.