ગાંધીધામ, તા. 27 : તાલુકાના કિડાણા ગામે પિંકસિટી સોસાયટીમાં
રહેનાર સુરેશ ટાટારાવ સરાડી (ઉ.વ. 36)એ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.
બીજી બાજુ મેઘપર બોરીચીમાં અમરત પબાભાઈ તુરી (ઉ.વ. 69) નામના વૃદ્ધે ગળેફાંસો ખાઈ છેલ્લા
શ્વાસ લીધા હતા. કિડાણામાં પિંકસિટી મકાન નંબર 145માં રહેનાર સુરેશ સરાડી નામનો યુવાન
ગઈકાલે પોતાના ઘરે એકલો હતો, દરમ્યાન અગમ્ય કારણોસર તેણે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી
ગળેફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો હતો. આ યુવાને કેવા કારણોસર છેલ્લું પગલું ભર્યું
હશે તે માટે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. અપમૃત્યુનો બીજો બનાવ અંજાર તાલુકાના
મેઘપર બોરીચીના નૂરી નગરમાં બન્યો હતો. આ વિસ્તારમાં રહેનાર અમરતભાઈ તુરી પોતાના ઘરે
હતા, દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સવાર પહેલા ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા
હતા. આ વૃદ્ધે કેવા કારણોસર અંતિમ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી
છે.