• મંગળવાર, 18 ફેબ્રુઆરી, 2025

ટી-20માં 2પ0 આસપાસ સ્કોર નિયમિત કરવાનું લક્ષ્ય : ગંભીર

મુંબઈ, તા.3 : હેડ કોચ ગૌતમ ગંભીરે કહ્યંy છે કે તેની ટીમ જોખમ ઉઠાવીને અનુકૂળ પરિણામ હાંસલ કરવા માટેનો તેનો આક્રમક રૂખ કાયમ રાખશે અને અમારું લક્ષ્ય ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નિયમિત રીતે 20થી વધુનો સ્કોર કરવાનો છે. ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની પ મેચની ટી-20 શ્રેણીમાં જોખમ લેવાની રણનીતિ અપનાવી હતી. આથી 4-1થી જીત મળી. પૂણે અને મુંબઈના મેચમાં નિયમિત રીતે વિકેટ પડવા છતાં અંતમાં 9 વિકેટે 181 અને 9 વિકેટે 237 રનના સ્કોર સુધી પહોંચવામાં ટીમ ઇન્ડિયાને સફળતા મળી હતી. મુંબઈ મેચની જીત બાદ કોચ ગંભીરે કહ્યંy, અમે ટી-20 ક્રિકેટ નિયમિત રીતે આ જ રીતે રમવા માગીએ છીએ. અમે હારથી ડરવા માગતા નથી. અમે વધુ જોખમી રમત રમવા માગીએ છીએ. અમારા ખેલાડીઓ આ એપ્રોચ સારી રીતે અમલી બનાવ્યો છે. અમે નિયમિત રીતે 20 ઉપરના સ્કોર સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd