તેહરાન, તા. 1 : યુએસ-ઇઝરાયલી સંયુક્ત હવાઈ
હુમલામાં આયાતોલ્લાહ અલી ખોમેનીનાં મૃત્યુ બાદ ઈરાની ધર્મગુરુ આયાતોલ્લાહ અલીરેઝા અરાફીને
ઈરાનના કાર્યકારી સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આઈએસએનએ અનુસાર, તેઓ કાર્યકારી નેતૃત્વ પરિષદના કાનૂની નિષ્ણાત
સભ્ય તરીકે સેવા આપશે. બંધારણ હેઠળ, આ પરિષદ, જેમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, મુખ્ય ન્યાયાધીશ
ગુલામ-હુસેન મોહસેની-એજે'ઈ અને ગાર્ડિયન કાઉન્સિલના એક ધર્મગુરુનો
સમાવેશ થાય છે, નવા સર્વોચ્ચ નેતાની પસંદગી થાય ત્યાં સુધી દેશનું
નેતૃત્વ કરશે. ઈરાનની રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે તેહરાનમાં અલી ખોમેનીનાં
મૃત્યુ બાદ ઈરાની ધર્મગુરુ આયાતોલ્લાહ અલીરેઝા અરાફીને ઈરાનના વચગાળાના સર્વોચ્ચ નેતા
તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આયતોલ્લાહ
અલીરેઝા અરાફીને વચગાળાના નેતૃત્વ પરિષદના ન્યાયશાત્રી સભ્ય તરીકે નિયુક્ત કરવામાં
આવ્યા છે. ઈરાનના બંધારણ અનુસાર, નવા નેતાની પસંદગી ન થાય ત્યાં
સુધી આ પરિષદ સંક્રમણ સમયગાળા દરમિયાન સર્વોચ્ચ નેતાની બધી ફરજો સંભાળશે .ઈરાનના બંધારણ
મુજબ, વચગાળાની પરિષદમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન,
મુખ્ય ન્યાયાધીશ ગુલામ-હુસેન મોહસેની-એજે'ઈ અને
ગાર્ડિયન કાઉન્સિલના એક મૌલવીનો સમાવેશ થાય છે. ખામેનીના મૃત્યુ પછી, આ પરિષદ સંયુક્ત રીતે દેશનો હવાલો સંભાળશે કારણ કે ઈરાન સંક્રમણના સમયગાળામાં
પ્રવેશ કરશે. 86 વર્ષીય ખોમેની
શનિવારે અમેરિકા -ઈઝરાયલ લશ્કરી હુમલામાં માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં લશ્કરી થાણાઓ, સરકારી સ્થળો અને વરિષ્ઠ નેતૃત્વ સ્થાનોને નિશાન
બનાવવામાં આવ્યા હતા.