• શનિવાર, 04 મે, 2024

આખરી દડા સુધીની મેચમાં શાંત ચિત્ત રહેવું કઠિન : શ્રેયસ અય્યરનો સ્વીકાર

કોલકતા, તા. 22 : આરસીબી સામેની ગઈકાલના આઇપીએલમાં તીવ્ર રસાકસીના અંતે આખરી દડે એક રને મળેલી જીત બાદ કેકેઆરના કપ્તાન શ્રેયસ અય્યરે સ્વીકાર્યું કે આવી પરિસ્થિતિમાં શાંતચિત રહેવું મુશ્કેલ હોય છે, પણ અંતમાં રોચક જીતથી ઘણી રાહત મળી છે. કેકેઆરના 6 વિકેટે 222 રનના જવાબમાં આરસીબી ટીમ આખરી દડે 221 રને ઓલઆઉટ થઈ હતી. મેચ બાદ  અય્યરે કહ્યંy પ્રકારની ચઢાવ-ઉતારવાળી મેચમાં શાંતચિત રહેવું મુશ્કેલ હોય છે. દબાણનો સમાનો કરવો કઠિન હોય છે. અંતમાં ખુશી વાતની છે કે અમને મહત્ત્વના બે પોઇન્ટ મળ્યા. મેચમાં રસેલે 20 દડામાં 27 રન આપી 3 વિકેટ લીધી હતી. જે વિશે કપ્તાન અય્યરે જણાવ્યું કે રસેલે મેચના પાસા પલટાવ્યા અને અમારા તરફી કરી દીધી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang