કોલકતા, તા. 22 : આરસીબી સામેની ગઈકાલના આઇપીએલમાં તીવ્ર રસાકસીના અંતે આખરી દડે એક રને મળેલી જીત બાદ કેકેઆરના કપ્તાન શ્રેયસ અય્યરે સ્વીકાર્યું કે આવી પરિસ્થિતિમાં શાંતચિત રહેવું મુશ્કેલ હોય છે, પણ અંતમાં આ રોચક જીતથી ઘણી રાહત મળી છે. કેકેઆરના 6 વિકેટે 222 રનના જવાબમાં આરસીબી ટીમ આખરી દડે 221 રને ઓલઆઉટ થઈ હતી. મેચ બાદ અય્યરે કહ્યંy આ પ્રકારની ચઢાવ-ઉતારવાળી મેચમાં શાંતચિત રહેવું મુશ્કેલ હોય છે. દબાણનો સમાનો કરવો કઠિન હોય છે. અંતમાં ખુશી એ વાતની છે કે અમને મહત્ત્વના બે પોઇન્ટ મળ્યા. આ મેચમાં રસેલે 20 દડામાં 27 રન આપી 3 વિકેટ લીધી હતી. જે વિશે કપ્તાન અય્યરે જણાવ્યું કે રસેલે મેચના પાસા પલટાવ્યા અને અમારા તરફી કરી દીધી.