• શુક્રવાર, 17 મે, 2024

રૂપાલાનાં નિવેદનને લઇ ભુજ, માનકૂવા, માધાપરમાં વિરોધ

ભુજ, તા. 2 : પુરુષોત્તમ રૂપાલાનાં નિવેદનને લઇને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રૂપાલા અને ભાજપ સામે ગુજરાતમાં વિરોધ થઇ રહ્યો છે, ત્યારે આજે ભુજ અને માનકૂવા તથા માધાપરમાં આવા વિરોધ પ્રદર્શનકર્તાઓ સામે પોલીસે અટકાયતી પગલાં લીધાં હતાં. પુરુષોત્તમ રૂપાલાનાં નિવેદનને લઇને  ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે. જેને લઇને ગુરુવારે ભુજના પ્રમુખસ્વામી નગરના ભાજપ કાર્યાલય પર ભાજપ તથા રૂપાલા વિરોધી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાતાં 50થી 60, જ્યારે માનકૂવા પંદરેક તેમજ માધાપરમાં ભાજપની સભા પૂર્વે દશેક દેખાવકાર સામે પોલીસે અટકાયતી પગલાં લીધાં હતાં. આગામી ચાર દિવસ સુધી પ્રચાર-પ્રસારના કાર્યાલય તથા સભામાં વિરોધ પ્રદર્શન જારી રહેશે, તેવું કરણી સેનાના રાજ્ય પ્રવક્તા કે.ડી. જાડેજાએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang