• શુક્રવાર, 17 મે, 2024

મુંદરા-ગાંધીધામ ધોરીમાર્ગ પર નિરંકુશ વાહનો : ભેસનું મૃત્યુ

મુંદરા, તા. 2 : મુંદરાથી ગાંધીધામ ધોરીમાર્ગ પર એક પૂરપાટ માતેલા સાંઢની જેમ આવતી ટ્રકે એક ભેંસનો ભોગ લીધો હતો. સ્થળ પરથી જાગૃત નાગરિક સાલેમામદભાઈ સમાએ જણાવ્યું કે, ધમધમતા રસ્તે મહાકાય ટ્રેલરો મનફાવે એમ સ્પીડે વાહન હંકારતા હોય છે. મંગળવારની વહેલી સવારે એક ફૂલ સ્પીડ ટ્રેલરે ભેંસને અંદાજે ત્રણથી ચાર કિલોમીટર ઢસડી હતી, છતાં પણ તેનું ધ્યાન ગયું નહોતું. અકસ્માતો સર્જતા ડ્રાઇવરો અને વાહનો પર પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગે લાલ આંખ કરવાની જરૂર છે. તંત્રની જાણે કોઈ બીક હોય તેવી સ્પીડમાં વાહનો દોડે છે અને અકસ્માતો સર્જે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang