લાહોર, તા. 20 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ જાહેર કર્યું છે
કે પાકિસ્તાનની ધરતી પર 18થી 31 ઓકટોબર દરમિયાન ત્રિકોણીય વન-ડે શ્રેણી રમાશે. જેમાં
યજમાન પાકિસ્તાન સાથે ઇંગ્લેન્ડ અને શ્રીલંકા ટીમની ટકકર થશે. ત્રિકોણીય શ્રેણીની તમામ
મેચ રાવલપિંડી અને લાહોરમાં રમાશે. પહેલી મેચમાં 18 ઓકટોબરે શ્રીલંકા-પાકિસ્તાન આમને-સામને
હશે. જયારે લાહોરના ગદાફી સ્ટડિયમ ખાતે 31 ઓકટોબરે ફાઇનલ મુકાબલો રમાશે. 2027ના વન-ડે
વિશ્વ કપની તૈયારી માટે આ ત્રિકોણીય વન-ડે શ્રેણીનું આયોજન પીસીબીએ કર્યું છે.