• શનિવાર, 14 માર્ચ, 2026

દેશની 10 લાખ મહિલા ઉદ્યોગ સાહસિકોનું થશે સશક્તિકરણ

મુંબઈ, તા. 12 : અદાણી સમૂહની સામાજિક કલ્યાણ પાંખ અદાણી ફાઉન્ડેશનની સ્થાપનાની આગામી 11મી ઓગસ્ટ, 2026ના  30મી વર્ષગાંઠ નજીક આવી રહી છે, ત્યારે તેની અગ્રિમ મહિલાઓનાં સશક્તિકરણની `સ્વાભિમાન' પહેલનાં કદાવર વિસ્તરણની જાહેરાત કરી છે. તેનું ધ્યેય સમગ્ર ભારતમાં 10 લાખ મહિલા ઉદ્યોગ સાહસિકોને સક્ષમ બનાવવાનું છે. ગુરુવારે મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે આયોજિત કાર્યક્રમ `સ્વાભિમાન - ધ રાઇઝ ઓફ શી'માં આ ઘોષણા કરવામાં આવી હતી, જેમાં મહિલાઓની આજીવિકા, ઉદ્યોગ સાહસિકતા અને નાણાકીય સ્વતંત્રતા પર વધતી જતી અસર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરતી આ પહેલનાં વિસ્તરણના પ્રથમ તબક્કાનો હેતુ પહેલા વર્ષમાં એક લાખ મહિલાને સશક્ત બનાવી તે અંતર્ગત મહિલાઓ દ્વારા સંચાલિત સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકતા અને પાયાની ઉદ્યોગ સાહસિકતા માટે નવી તકો ઊભી કરવાનો છે. મહારાષ્ટ્ર સરકારના મહિલા આર્થિક સશક્તિકરણ અને સ્વસહાય જૂથ વિકાસ માટેની નોડલ એજન્સી, મહિલા આર્થિક વિકાસ મહામંડળ સાથે જાહેર-ખાનગી ભાગીદારી - પીપીપી મોડેલ આધારિત ભાગીદારીમાં શરૂ થયેલો `સ્વાભિમાન' કાર્યક્રમ શરૂથી જ મુંબઈમાં વંચિત સમુદાયોની 4,500થી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ, ઉદ્યોગ સાહસિકતા વિકાસ અને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા દ્વારા ટકાઉ આજીવિકા વિકસાવવા માટે પીઠબળ આપી રહ્યો છે. અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડો. પ્રીતિ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલીન અદાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે, મુંબઈના મેયર  રીતુ તાવડે અને મહિલા આર્થિક વિકાસ મહામંડળના મેનાજિંગ ડિરેક્ટર નંદિની આવડેએ હાજરી આપી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પાઠવેલા સંદેશમાં મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહેલાં ઉત્કૃષ્ટ સામાજિક કાર્ય માટે અદાણી સમૂહ અને અદાણી ફાઉન્ડેશનને અભિનંદન આપ્યા હતા. શ્રીમતી તટકરેએ જણાવ્યું હતું કે, સ્વાભિમાન એ મહિલા સશક્તિકરણ માટે એક શક્તિશાળી રોલ મોડેલ તરીકે ઊભરી આવ્યું છે. `રીતુ તાવડેએ જણાવ્યું હતું કે, સ્વાભિમાન જેવી પહેલ નાણાકીય આત્મવિશ્વાસ અને ઉદ્યોગ સાહસિકની ભાવના બનાવીને વંચિત મહિલાઓનાં જીવનમાં પરિવર્તન લાવી રહી છે.' આ પ્રસંગે બોલતા ડો. પ્રીતિ અદાણીએ કહ્યું હતું કે, મહિલાઓનું સશક્તિકરણ એ સમુદાયોને મજબૂત કરવા અને સ્થિતિસ્થાપક સ્થાનિક અર્થતંત્રોનાં નિર્માણ માટે સૌથી શક્તિશાળી માર્ગોમાંના એક `સ્વાભિમાન' એ અમારા ભરોસાને પ્રતાબિંબિત કરે છે. મુંબઈની મહિલાઓની પ્રેરણાદાયી સફર દર્શાવે છે કે, જ્યારે યોગ્ય સહાયક પ્રથાઓ કાર્યરત હોય ત્યારે શું શક્ય બને છે. મહારાષ્ટ્રમાં એક લાખ મહિલાઓથી શરૂ કરીને હવે સમગ્ર ભારતમાં અમે 10 લાખ મહિલાને સશક્ત બનાવવા માટેના કાર્યક્રમનો જેમ જેમ વિસ્તાર કરીએ છીએ. 

Panchang

dd