• સોમવાર, 12 મે, 2025

કચ્છમાં સ્વયંભુ બ્લેકઆઉટ પાળી તંત્ર-સંરક્ષણ દળોને સહયોગ અપાશે

ભુજ, તા. 9 : દેશની વર્તમાન પરિસ્થિતિને લઈને જ્યારે પણ બ્લેકઆઉટની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવે ત્યારે વિલંબ કર્યા વિના તમામ લાઈટો બંધ કરવા જિલ્લા કલેક્ટરએ સંસ્થાઓ, સંગઠનોના માધ્યમથી નાગરિકોને અપીલ કરી હતી. જોકે, આવી કોઈપણ પરિસ્થિતિને વહેલીતકે પહોંચી શકાય તે માટે તમામ સામાજિક, ધાર્મિક સંસ્થાઓએ જિલ્લા કલેક્ટરને ખાતરી આપતા જણાવ્યું હતું કે તેઓ માત્ર સૂચના આપવામાં આવે ત્યારે જ નહીં પણ નિયમિત રીતે સ્વયંભૂ બ્લેકઆઉટ પાળીને વહીવટીતંત્ર અને દેશના સંરક્ષણદળોને સહયોગ આપશે. વિવિધ સેવાભાવી, અગ્રણી સામાજિક અને અગ્રણી સંસ્થાઓએ કચ્છ જિલ્લામાં સ્વયંભૂ જ બ્લેકઆઉટ કરીને વહીવટીતંત્રને સહયોગ આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, પ્રભારી સચિવ હર્ષદ પટેલ, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત ઉપસ્થિત ધારાસભ્યઓએ તમામ સંસ્થાઓ/સંગઠનના લોકોની સાથે રહીને સ્વયંભૂ બ્લેકઆઉટના નિર્ણયને બિરદાવ્યો હતો. બેઠકમાં સાસંદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરીપ્રદ્યુમનાસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, વિવિધ સામાજિક-શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓ અને સંગઠનના પ્રમુખ તેમજ પ્રતિનિધિ, નગર-પાલિકાના પ્રમુખ દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાંજના સમયથી સવાર સુધી સ્વયંભૂ બ્લેકઆઉટ તેમજ રક્તદાન, ફૂડ અને પાણી જેવી વ્યવસ્થાઓમાં વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી હતી. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, અધિક નિવાસી કલેક્ટર ડી.પી. ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ સહિત વિવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિજ સંસ્થાઓ તેમજ સંગઠનોના પ્રમુખ સહિત હાજર રહ્યા હતા.- ભુજમાં સાડા સાત વાગ્યાથી વ્યવસાયિક પ્રતિષ્ઠાનો સ્વેચ્છાયે બંધ : પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ ભુજમાં વ્યવસાયિક પ્રતિષ્ઠાનો અને સાત વાગ્યાથી બંધ રાખવાનો નિર્ણય નાયબ કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં લેવાયો હતો. તેવું પ્રાંત અધિકારી અનિલ જાદવે જણાવ્યું હતું. - પૂર્વ કચ્છમાં ખોટા સંદેશા સોશિયલ મીડિયામાં ન મૂકવા અપીલ : ગાંધીધામ, તા. 9 : પૂર્વ કચ્છ પોલીસવડાએ સોશિયલ મીડિયા ઉપર રાષ્ટ્ર વિરોધી તત્ત્વોને પ્રેરિત કરનારા કોઈ પણ પ્રકારના સંદેશા ન મૂકવા અન્યથા કડક કાયદાકીય પગલાં લેવાની ચીમકી આપવામાં આવી હતી. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે લોકોને ડ્રોન નહીં ઉડાવવા તથા ફટાકડા ન ફોડવા કહ્યું હતું તેમજ તંત્ર તરફથી આવતી સૂચના, માર્ગદર્શનનું પાલન કરવા તેમણે કહ્યું હતું અને રાત્રે બ્લેકઆઉટ દરમ્યાન તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી. સાથોસાથ સુરક્ષા સંબંધિત કે અન્ય કોઈ પણ રાષ્ટ્ર વિરોધી તત્ત્વોને પ્રેરિત કરનારા સંદેશા કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર ન મૂકવા અન્યથા આવા તત્ત્વો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. દરમ્યાન અત્યારની પરિસ્થિતિ વચ્ચે જુઠાણા ફેલાવતા કે ફેક ન્યૂઝ સોશિયલ મીડિયામાં ન મૂકવા તેમણે જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd