નવી દિલ્હી, તા. 23 : શું સરકાર
મહિલા અનામત અને સીમાંકન ખરડાને ગૃહમાં પાછા લાવવાની યોજના ઘડી રહી છે? રાજકીય વર્તુળોમાં આવી અટકળો વેગ પકડી રહી છે.
કારણ કે ચોમાસુ સત્ર પૂર્ણ થયા પછી પણ રાષ્ટ્રપતિએ હજુ સુધી સત્રના અંતને ઔપચારિક રીતે
મંજૂરી આપી નથી. દરમિયાન, રવિવારે ભાજપે ફરી એકવાર આ ખરડાઓ પસાર
કરવા માટે અપીલ કરી હતી. શનિવારે મહારાષ્ટ્રના પુણેમાં આયોજિત `છત્રોં કી ગુંજ' કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ મહિલા સશક્તિકરણ
અને ભારતની પિતૃસત્તાક માનસિકતા પર સવાલ ઉઠાવ્યા બાદ આ નિવેદન આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય
મહામંત્રીચિવ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સહિત વિપક્ષી નેતાઓને અપીલ કરી
હતી કે તેઓ સંસદમાં આ વિધેયકપસાર કરવામાં મદદ કરે, જે કેન્દ્ર
સરકાર 2029 સુધીમાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ
રાખે છે. સરકારે આ બિલ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ગૃહનું ચોમાસુ સત્ર 13 ઓગસ્ટના અનિશ્ચિત સમય માટે
મુલતવી રખાયું હોવા છતાં, સત્રને ઔપચારિક
રીતે સમાપ્ત કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી હજુ સુધી મળી નથી. એવી ચર્ચાઓ છે કે સરકાર
આ દરમિયાન સત્ર લંબાવી શકે છે અને મહિલા અનામત અને સીમાંકન બિલને ફરીથી રજૂ કરી શકે
શકે છે. કોઈપણ સત્ર સમાપ્ત કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. દરમિયાન, સરકાર
સતત પાછલા બારણેથી આ ખરડા પસાર કરવા માટે વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર
આગામી બે થી ત્રણ અઠવાડિયામાં ગૃહમાં બિલ રજૂ કરી શકે છે. લોકસભા અનિશ્ચિત સમય માટે
સ્થગિત થયા પછી પણ રાષ્ટ્રપતિની મંજૂરી ન મળ્યા બાદ વિપક્ષી નેતા જયરામ રમેશે પ્રશ્નો
ઉઠાવ્યા છે. તેમણે નિર્દેશ કર્યો કે સ્થગિત થવા અને મુલતવી રાખવા વચ્ચેનો સમય સામાન્ય
રીતે બે થી ચાર દિવસનો હોય છે. એવા કિસ્સાઓ બન્યા છે કે સ્થગિત થવા અને મુલતવી રાખવા
બંને એક જ દિવસે થયા છે. આ લોકસભા અનિશ્ચિત સમય માટે સ્થગિત થયાને દસ દિવસ વીતી ગયા
છે, છતાં તેના મુલતવી રાખવા અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. એ
સાચું છે કે 2015 માં, ચોમાસુ સત્ર માટેનો ગાળો 28 દિવસનો હતો. 2021 માં, તે 20 દિવસનો હતો. પરંતુ તે સમયે કોઈ ખતરનાક દાવપેચ કરવામાં આવી રહ્યા
ન હતા. હવે આ અસામાન્ય વિલંબનું કારણ શું છે? શું કેન્દ્રીય ગૃહમંત્રી હજુ પણ ખાસ સત્રમાં સીમાંકન પર બંધારણ સુધારા બિલ
પસાર કરવા માટે વિવાદાસ્પદ 2/3 બહુમતી મેળવવા માગે છે.