• શુક્રવાર, 03 મે, 2024

નવી દુધઈમાં આખલાયુદ્ધમાં હડફેટે ચડતાં યુવાન ઈજાગ્રસ્ત

નવી દુધઈ, તા. 19 : અંજાર તાલુકાના નવી દુધઈમાં રખડતા પશુઓની રોજિંદી સમસ્યાથી  ગ્રામજનો ત્રસ્ત બન્યા છે. તાજેતરમાં આખલાયુદ્ધમાં યુવાનને ઈજા પહોંચી હતી. ગામના વિવિધ વિસ્તારોમાં આખલાયુદ્ધના બનાવો સામાન્ય બન્યા છે, જેના કારણે  વાહનોમાં નુકસાન અને લોકોને ઈજાઓ થાય છે. તાજેતરમાં  આખલાયુદ્ધમાં હડફેટે ચડેલા મગન જવા મહેશ્વરીને ઈજા પહોંચી હતી, તેમને  દુધઈના સરકારી આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં મોકલાયા હતા.  શારીરિક રીતે અશક્ત યુવાનને મણકાના ભાગ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીરની  ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ સાંપડયા હતા. અગાઉ પ્રકારે હડફેટે આવેલા માજી તલાટીને પણ ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. બાદમાં તેઓ ઊભા   થઈ શક્યા હતા અને મૃત્યુ પામ્યા હતા. રખડતા પશુઓની સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા  યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોએ  કરી હતી. નોંધપાત્ર છે કે, થોડા સમય  અગાઉ રાપરમાં નંદીઓના કારણે  એક જણનું મૃત્યુ થયું હતું. પ્રકારના બનાવોમાં અનેક માનવ જિંદગી હોમાઈ ચૂકી છે. અલબત્ત, વહીવટીતંત્ર દ્વારા  સમસ્યા નિવારવા નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang