• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ નર્મદાબેન (ઉ.વ. 81) (નિવૃત્ત શિક્ષિકા પુરોહિત) તે સ્વ. કાનજીભાઇ રઘુરામ ત્રિવેદી (બી.ઓ.આઈ.)ના પત્ની, સ્વ. જયંતભાઇ, મનોજ (એમ.કે. જ્વેલર્સ મારાજ), સ્વ. પુષ્પાબેન (ડીસા), હેમંતાબેન (મહેસાણા)ના માતા, ગં.સ્વ. દુર્ગાબેન, પૂર્ણિમાબેન, સ્વ. મહેશભાઇ પુરોહિત (ડીસા), હિતેષભાઇ ત્રિવેદી (મહેસાણા)ના સાસુ, હેમંતકુમાર, નીતા, હેમલતા, છાયાના દાદીસાસુ, ઇરા, મિહિર, સમીર, યશ, પૂર્વના દાદી, રિધમ, વ્યોમ, રીવા, પ્રિસિવના પરદાદી, શ્વેતા વિપુલકુમાર ઓઝા, મોના, ભાવિકના નાની, સ્વ. નારાણભાઇ, સ્વ. ખીમશંકરભાઇ, સ્વ. મોહનભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. ભૂરાલાલ (સુઇગામ), સ્વ. વાલજીભાઇ (નંદિની કેટરિંગ), શિવજીભાઇ, સ્વ. ગોદાવરીબેન, ગં.સ્વ. પાર્વતીબેનના ભાભી, ચંદ્રકાન્ત, દિનેશ, જિતેન્દ્ર, સ્વ. રમણીક (અંજાર), સ્વ. કમલેશ, ગિરધારી, રમેશ (સુઇગામ), હરેશ, દીપક (નંદિની કેટરર્સ), ગિરીશ, અમિત, મેહુલ, અશોક, હિતેષ, કલ્પેશના કાકી, સ્વ. ભરતભાઇ હેમરાજભાઇ ત્રિવેદી, ડો. અશોક ત્રિવેદી, ભગવતીબેન શંકરલાલ ત્રિવેદી (ઘડુલી)ના મામી તા. 7-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-7-2024ના સોમવારે સાંજે 5થી 6 કતિરા પાર્ટી પ્લોટ હોલ, વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. જ્યોત્સનાબેન ગોપાલભાઇ સોલંકી (ઉ.વ. 62) તે કંકુબેન પચાણભાઇ સોલંકીના પુત્રવધૂ, બબીબેન નારાણજીના પુત્રી, સ્વ. ગોપાલભાઇ સોલંકીના પત્ની, ભક્તિ રાજદીપ રાઠોડના માતા, રાજદીપ અતુલભાઇ રાઠોડના સાસુ, ભવ્યરાજના નાની, ગં.સ્વ. હીરાગૌરીબેન વિઠ્ઠલભાઇ સોલંકી, ગં.સ્વ. ઉર્મિલાબેન હરુભાઇ સોલંકીના દેરાણી, ઇન્દુબેન ભવાનભાઇ ચાવડા, લક્ષ્મીબેન રમેશભાઇ પાયરના ભાભી, અજેન્દ્રભાઇ, ધવલરાજ, નીરજરાજ, ચેતનભાઇના કાકી, કલ્પના, મનીષા, જુલી, રીનાના કાકીસાસુ, સ્વ. લક્ષ્મીબેન, પુષ્પાબેન, મંજુબેનના બહેન, ધ્રુતિ, જશરાજ, પૃથ્વીરાજ, રાજવીર, કાવ્યાના દાદી, કિશોર, કોમલ, વિજય, અશ્વિન, રાહુલના માસી તા. 7-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-7-2024ના સાંજે 5.30થી 6.30 પડદાભિટ્ટ હનુમાન મંદિર, ભુજ ખાતે.

ભુજ : ઝવેરબેન ધનજી કોલી (ઉ.વ. 38) તે ધનજી સિધિક કોલીના પત્ની, બાબુભાઇ (જંગલ ખાતાં), મંગલભાઇ (લાલન કોલેજ)ના નાના ભાઇના પત્ની, નવ્યાના માતા, તલવાણાના સંજયભાઇ અશોકભાઇ મોર્યા તથા સુરેશ, અમિતના બહેન તા. 6-7-2024ના અવસાન પામ્યા છે. ઘડાવિધિ તથા સત્સંગ તા. 11-7-2024ના રાત્રે તથા ઘડાઢોળ તા. 12-7-2024ના સવારે નિવાસસ્થાન કોડકી રોડ, શિકારી ફળિયા ખાતે.

આદિપુર : મૂળ ડગાળાના નાથબાવા દક્ષાબેન (ઉ.વ. 31) તે જયશ્રીબેન મનસુખનાથ નાથબાવાના પુત્રી, ગં.સ્વ. લક્ષ્મીબેન વિશનજીનાથના પૌત્રી, સ્વ. શાન્તાબેન જેઠાનાથ (રાયણ)ના દોહિત્રી, રાહુલનાથ, વિશાલનાથ, અર્જુનનાથ, સાવનનાથ, પ્રેરણાબેન, દિશાબેનના બહેન, ગં.સ્વ તરલાબેન રાજેશનાથ, માયાબેન સોમનાથ, મંજુલાબેન રાજેશનાથના ભત્રીજી, પ્રવીણનાથ જેઠાનાથ, પ્રદીપનાથ જેઠાનાથ, વસુબેન લાલજીનાથ, મીનાબેન અમિતકુમારના ભાણેજી, નિશાબેન રાહુલનાથ, રસીલાબેન વિશાલનાથના નણંદ તા. 6-7-2024ના અવસાન પામ્યા છે, પ્રાર્થનાસભા તા. 8-7-2024ના સોમવારે સાંજે 5થી 6, ધાર્કિકક્રિયા તા. 16-7-2024ના મંગળવારે આહીર સમાજવાડી, ચારવાળી, આદિપુર ખાતે.

આદિપુર : ક.દ.ઓ. જૈન પ્રેમચંદભાઇ મોમાયા (ઉ.વ. 79) તે ભવાનજી કાનજી મોમાયાના પુત્ર, સ્વ. કાંતાબેનના પતિ, સ્વ. દિલીપભાઇ, છાયાબેન ભૂપેન્દ્રભાઇ લોડાયાના પિતા, કવિતાબેનના સસરા, સ્મિત, મોનિલના દાદા, મોનિકા સ્મિત, પ્રેક્ષા મોનિલના દાદાસસરા, દીપાલી ગૌરવ લોડાયાના નાનાસસરા, ગૌરવ ભૂપેન્દ્ર લોડાયા, આદિતી આદિત્ય ગજરાના નાના, સ્વ. હીરાચંદભાઇ, સ્વ. લહેરચંદભાઈ, સ્વ. રમેશભાઇ, સ્વ. લબ્ધિભાઇ તિલકભાઇના ભાઇ, સ્વ. ધનજીભાઇ પાશ્રવીર મોતા (કુવાપદ્ધર)ના જમાઇ તા. 7-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-7-2024ના સાંજે 4.30થી 5.30 વત્સલધામ, 17વાળી, પ્લોટ નંબર 73-74, એસ.એ.એક્સ. જૈન દેરાસરની બાજુમાં, આદિપુર ખાતે.

અંજાર : મૂળ વાયોર (તા. અબડાસા) હાલે માટુંગા (મુંબઇ) અનિલભાઇ (ઉ.વ. 69) તે માધવદાસ ગાજરિયાના પુત્ર, ચંદ્રિકાબેનના પતિ, કરણ, શ્રદ્ધાના પિતા, નેહા, આશિષના સસરા, કિશોરભાઇ, ભરતભાઇના ભાઇ, રક્ષાબેન, વર્ષાબેનના દિયર, સ્વ. જમનાદાસ રૂપાલી (મુંદરા)ના જમાઇ, શૈલેષભાઇ જીવણદાસ આશર (અંજાર)ના વેવાઇ, કિયાનાના દાદા, દિવ્યાંગના નાના તા. 6-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા-લૌકિક વ્યવહાર રાખેલ નથી.

અંજાર : પ્રેમજીભાઇ રામજીભાઇ હડિયા (બાલાપેટે) (ઉ.વ. 78) તે સ્વ. ખીમીબેનના પુત્ર, સ્વ. જશોદાબેનના પતિ, નીલેશભાઇ, મુકેશભાઇ, લીલાવંતીબેન, વનિતાબેન, વિજિયાબેન, જમનાબેનના પિતા, દક્ષાબેન, જયશ્રીબેનના સસરા, માનસી, ભૂમિ, પ્રિન્સી, વંશિકા, શ્રુતિ, સંજય, વીરના દાદા તા. 5-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-7-2024ના સોમવારે સાંજે 4થી 5 યદુવંશી સોરઠિયા સમાજવાડી (શ્રીકૃષ્ણવાડી), વોરાસર સોસાયટીની બાજુમાં, અંજાર ખાતે.

માંડવી : પ્રવીણકુમાર (જલારામ જી.ઇ.બી.વાળા) (ઉ.વ. 67) તે સ્વ. ચંદુલાલ મોનજી પલણના પુત્ર, ગં.સ્વ. કલ્પનાબેનના પતિ, રાકેશ, અમર, વિમીબેન વિનોદભાઇના પિતા, ગં.સ્વ. માલતીબેન વિજયકુમાર (જામખંભાળિયા), ચાંદનીબેન, સારિકાબેનના સસરા, સ્વ. હસ્તાબેન હિંમતલાલ કોટક (નાના આસંબિયા), જયશ્રીબેન ધીરજલાલ પટેલ (માંડવી), દીપક (જી.ઇ.બી.-માંડવી)ના ભાઇ, સ્વ. નારાણજી રણછોડદાસ જોબનપુત્રાના જમાઇ, સ્વ. હરેશભાઇ, સ્વ. સુરેશ, સ્વ. શંભુભાઇ, મહાલક્ષ્મી, સ્વ. ડાયીબેન મોહનલાલ પોપટ (ભુજ), ચંદ્રિકાબેન નવીનચંદ્ર ઠક્કર (ભુજ), સ્વ. શશીબેન સુરેશભાઇ સોમૈયા (કેરા), કુસુમબેન દિનેશભાઇ સોમેશ્વર (સૂરજપર)ના બનેવી, દેવના દાદા, સ્વેતાબેન જેમિનભાઇ સોનાઘેલા (નલિયા), ભાર્ગવના મોટાબાપા, નીલ, રુદ્રના નાના, મિતેષ, ખુશાલ, હર્ષદ, આનંદ, ભીષ્મના મામા તા. 7-7-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-7-2024ના મંગળવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, માંડવી ખાતે.

માંડવી : ઝેનબબેન નજમુદ્દીન હાલાઇ (ઉ.વ. 65) તે હુસેન અને તસ્નીમના માતા, આફતાબ ઝવેરી અને સકીનાના સાસુ, મુફદ્દલ ઝવેરીના નાની, સૈફુદ્દીનના દાદી તા. 7-7-2024ના અવસાન પામ્યા છે. બિજ્યાના અને ત્રિજ્યાના સિપારા તા. 8-7-2024ના મગરીબ ઇશા નમાજ બાદ કુત્બી મસ્જિદ, તૈયબપુરા, માંડવી ખાતે.

મુંદરા : મૂળ માંડવીના તેજાભાઇ જુમ્માભાઇ નંજણ (મહેશ્વરી) (ઉ.વ. 68)?(માજી બેલીફ-સિવિલ કોર્ટ, મુંદરા) તે સ્વ. ખીમઇબેન જુમ્માભાઇના પુત્ર, અ.સ્વ. કેશરબેનના પતિ, સ્વ. લાલજીભાઇ, ધનજીભાઇ, રાણબાઇ માતંગ, તેજબાઇ ડુગ્ગડિયાના ભાઇ, લાલજીભાઇ?માતંગ, રામજીભાઇ ડુગ્ગડિયાના સાળા, સ્વ. મંગલભાઇ રોલા, સ્વ. પંકજભાઇ માતંગ, પ્રવીણ રોલા, દમયંતીબેન, હંસાબેનના સસરા, કિશોર, હરીશ, મંજુલાબેન, રતનબેન, વનિતાબેનના પિતા, મયંક, કૃપા, રક્ષિત, કક્ષાના દાદાજી તા. 7-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 10-7-2024 તથા 11-7-2024ના તેમના નિવાસસ્થાન ખાતે.

રાપર : મૂળ મઢુત્રાના હરિગર ભુરાગર ગોસ્વામી (ઉ.વ. 69) તે દિવાળીબેનના પતિ, અમરતગર, ભરતગર, બકુલગર, ઉર્મિલાબેન (ખેંગારપર), મિત્તલબેન (ઉમિયા)ના પિતા, સંધ્યાબેન તથા ઉમાબેન, પીયૂષગિરિ તથા ભરતગિરિના સસરા, સ્વ. બાબુગિરિ તથા સ્વ. ખીમગિરિના નાના ભાઈ, સ્વ. દેવગર મેઘગર ગોસ્વામી (સેલારી)ના જમાઈ તા. 6-7-2024ના અવસાન પામ્યા છે. સામાજિક- લૌકિકક્રિયા-પૂજનવિધિ તા. 13-7-2024ના શનિવારે નિવાસસ્થાન શિવશેરી, રાપર ખાતે.

ખાવડા (તા. ભુજ) : મૂળ મોધરી (તા. ઇડર)ના  જશવંતભાઇ (ઉ.વ. 55) તે ફુલાભાઇ નિનામાના પુત્ર, શંભુલાલ નાથાભાઇ (ખાવડા)ના જમાઇ, લતાબેનના પતિ, મીત અને પાર્થના પિતા, હરેશ અને શશિકાંતના બનેવી તા. 6-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી સાસરા પક્ષની તા. 8-7-2024ના સોમવારે સાંજે 4થી 6 નાગરુ ફળિયા, ખાવડા ખાતે.

ખંભરા (તા. અંજાર) : મૂળ હટડીના મેઘજીભાઇ હરજીભાઇ મણોઢિયા (ઉ.વ. 45) તે સ્વ. જ્યોતિબેનના પતિ, સ્વ. હરજી જખુ મણોઢિયાના પુત્ર, સ્વ. વેલજી જખુ, લધા જખુના ભત્રીજા, રામજી, નંદની, મિત્તલના પિતા, સ્વ. રમેશ વેલજી, હેમરાજ વેલજી, ઉમરશી વેલજી, રાઘવજી વેલજી, મનજી લધા, નારાણ લધા, માયા લધા, અમીબેન ડાયાભાઇ જેપાર (વરનોરા), ગીતાબેન વેલજી પાયણ, લાધુબેન રમેશ સુંદરા, મિનાબેન લક્ષ્મણ ખોખરના ભાઇ, રાયસી વરજાંગ ખોખરના જમાઇ, સ્વ. કારા સામત સંજોટ અને શિવજી સામત સંજોટ (કુકમા)ના ભાણેજ તા. 6-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 8-7-2024ના સોમવારે સાંજે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 9-7-2024ના મંગળવારે સવારે નિવાસસ્થાને ખંભરા ખાતે.

મોટા રતડિયા (તા. માંડવી) : પૂનમબેન રામજિયાણી (ઉ.વ. 49) તે મનસુખલાલ શિવજી રામજિયાણીના પત્ની, ઝવેરબેન શિવજી રામજિયાણીના પુત્રવધૂ, નાનજી કાનજી રામજિયાણીના ભત્રીજાવહુ, દેવજી રામજી પોકાર (રાયણ)ના પુત્રી, જિગર અને અભિષેકના માતા, પ્રાચી અને જુહીના સાસુ, મુક્તાબેન રતિલાલ ભગત (જનકપુર), મંજુલાબેન મગનલાલ સેંઘાણી (ગુંદિયાળી), નવીનભાઈ, પ્રકાશભાઈ (રાયણ)ના બહેન, મંજુલાબેન જેંતીલાલ રંગાણી (ગઢશીશા), મનીષાબેન દિનેશ સેંઘાણી (ગઢશીશા), ગીતાબેન જયેશ પોકાર (કરબોઈ)ના ભાભી, મણિલાલ, રમેશ, જિતેન્દ્રના કાકાઈ ભાભી, દક્ષાબેન, રંજનબેન, શીતલબેનના કાકાઈ જેઠાણી તા. 3-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-7-2024ના સવારે 9થી 12, બપોર 3થી 5 પાટીદાર વાડી, મોટા રતડિયા ખાતે.

સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) : મનજીભાઇ ધોળુ (ઉ.વ. 85) તે કાનજી ઉકેડા ધોળુના પુત્ર, ઝવેરબેનના પતિ, રામજીભાઇ (બાલાસિનોર), સ્વ. હીરબાઇ માનાણી (વિથોણ હાલે નાગપુર), ધનબાઇ પોકાર (ધાવડા)ના ભાઇ, શાન્તિભાઇ (પુના), સુરેશભાઇ (ઠાસરા), અમૃતબેન (આણંદપર), નબુબેન નાયાણી (વિથોણ હાલે હૈદરાબાદ), નિર્મળાબેન રૂડાણી (પલીવાડ હાલે રત્નાગિરિ), પ્રેમિલાબેન રૂડાણી (દેવપર હાલે રાયપુર)ના પિતા, જ્યોત્સનાબેન અને હંસાબેનના સસરા, નવીન અને યોગેશના મોટાબાપા, ગંગદાસ હંસરાજ સુરાણી (વિથોણ હાલે બાલેશ્વર)ના જમાઇ તા. 7-7-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-7-2024ના મંગળવારે સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી, સાંયરા-યક્ષ ખાતે. બાકીના દિવસોમાં શાન્તિલાલ મનજી ધોળુ સાંયરા-યક્ષના નિવાસસ્થાને.

પાલનપુર-બાડી (તા. નખત્રાણા) : મણિબેન ચૂનીલાલ પારસિયા (ઉ.વ. 67) તે ચૂનીલાલભાઇના પત્ની, સામજીભાઇના પુત્રવધૂ, હસમુખભાઇના ભાભી, જય, મોસમ (ગોવા)ના મોટામા તા. 5-7-2024ના સુરત ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 10-7-2024ના બુધવારે બપોરે 3થી 6 નિવાસસ્થાન પાલનપુર-બાડી ખાતે.

દેશલપર-ગું. (તા. નખત્રાણા) : ઝવેરબેન વાઘેલા (ઉ.વ. 70) તે ડાહ્યાલાલ કચરાના પત્ની, પ્રવીણભાઇ, દિનેશભાઇ, કિરીટભાઇના માતા, વિરલ, વંશિકા, જેનિલ, અંકિત, શ્રુતિ, યુવિકાના દાદી, સ્વ. નારાણભાઇ, સ્વ. વેલજીભાઇ, વાલજીભાઇ, સ્વ. મૂળજીભાઇ, લક્ષ્મીબેન (ગઢશીશા), સ્વ. પરમાબેન (આણંદસર), સ્વ. પુંજીબેન (કાદિયા), સ્વ. કુંવરબેન (રાજપર)ના ભાભી, સ્વ. ધુનાબેન ખીમજી લોંચા (રાજપર)ના પુત્રી, વાલજી ખીમજી, મેઘજીભાઇ, બિપિનભાઇ (ટોડિયા), સ્વ. ઉમેશભાઇ (વાડાસર), સ્વ. વાલબાઇ, મંજુબેન (પદમપર)ના બહેન તા. 7-7-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન દેશલપર (ગું.) ખાતે. ધાર્મિકવિધિ (બારસ) તા. 11-7-2024ના ગુરુવારે.

લાખાવટ (તા. ભચાઉ) : વેજીબેન (ઉ.વ. 70) (પૂર્વ કારોબારી ચેરમેન કચ્છ જિલ્લા પંચાયત) તે ઉંદરિયા ગણેશાભાઇ આણંદાભાઇ પટેલ (પૂર્વ પ્રમુખ ભચાઉ તા.પં.)ના પત્ની, રામજી, માદેવા, લખીબેન ગોકરભાઇ વરચંદ (નેર), દેવિબેન હરિભાઇ ડાંગર (ઘરાણા)ના માતા, સ્વ. દેવાભાઇ, ખેંગારભાઇ, કાનાભાઇ, વેજીબેન વાઘજી ચાવડા (લાખાવટ), કુંવરબેન કાનાભાઇ માતા (બંધડી), લખીબેન ધનાભાઇ બાળા (સામખિયાળી), નાગલબેન માવજી છાંગા (કરમરિયા), માલીબેન સામાભાઇ ચાવડા (બંધડી), દેવીબેન સાજણભાઇ વરચંદ (નેર)ના ભાભી, રખુબેન રામજી, નાગલબેન માદેવાના સાસુ, મહેશ, મોહન, કિશોર, લખીબેન ભરતભાઇ છાંગા (નેર), શાન્તિબેન બળદેવભાઇ માતા (માધવપુર), મિત્તલ, મનજુના દાદી, સ્વ. વજુ વિભા ચાવડા (કરમરિયા)ના પુત્રી, નશા વજુ અને લખા વજુના બહેન તા. 7-7-2024ના અવસાન પામ્યા છે. લૌકિકવિધિ લાખાવટ, તા. ભચાઉ ખાતે.

દયાપર (તા. લખપત) : શાહ ધનજીભાઇ રામજીભાઇ શારડા (ઉ.વ. 78) તે સ્વ. રામજી જેરામના પુત્ર, સ્વ. કોકિલાબેનના પતિ, નરેન્દ્ર, મીનાબેન, અલ્કાબેનના પિતા, સ્વ. દામોદરભાઇ, સ્વ. ચાંપશીભાઇ, દેવજીભાઇ, લાલજીભાઇ, ખુશાલભાઇના ભાઇ, ગોદાવરીબેન, દમયંતીબેન, સજ્યાબેન, શૈલજા, હસ્તીના દાદા, હર્ષલ, આદિત્યના નાના, શામજી જેરામના ભત્રીજા, ડિમ્પલ, ધર્મેશ, નીલેશના સસરા, શાહ રાઘવજી જાદવજી મલ્લ (ખપોલી-મહારાષ્ટ્ર)ના જમાઇ?તા. 7-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-7-2024ના મંગળવારે બપોરે 4થી 5 લખપત તાલુકા કડવા પાટીદાર સમાજવાડી, દયાપર ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

મલાડ-મુંબઇ : મૂળ નખત્રાણાના દિવાળીબેન રવિલાલ શેઠ (ઉ.વ. 85) તે સ્વ. રવિલાલ પોપટલાલના પત્ની, જિતેન્દ્રભાઇ, મહેન્દ્રભાઇ, ગજેન્દ્રભાઇ, કુસુમબેનના માતા, જયશ્રીબેન, સંગીતાબેન, અલ્કાબેન, મહેશભાઇ (ચાવાળા-માંડવી)ના સાસુ, રામજી પાનાચંદ શાહ (વિથોણ)ના પુત્રી, હાથીલાલના ભાઇના પત્ની, મનુભાઇ, રમેશભાઇ, ચંદુભાઇ, બબીબેન, માલતીબેનના બહેન, ભૂમિ કુનાલ શેઠ, માલવિકા હર્ષલ શેઠ, શ્રુતિ આયુષ શેઠ, કામાક્ષી નીરવ ફોફલિયા, ઝીંકલ નિશાંત સલોત, અવની પ્રણય શાહ, કવિશા જેનિલ શાહ, અલૌકી રોનક મહેતાના દાદી તથા દાદીસાસુ, રિદ્ધિ પુનિત શાહ, ભૌતિકના નાની, જખુભાઇ, રંજનબેન, હંસાબેનના કાકી, દૃષ્ટિ, સાચી, મનય, પ્રનીત, પ્રિહાન, જીવીનના પરદાદી તથા પરનાની તા. 6-7-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. સંપર્ક : ગજેન્દ્ર શેઠ-મો. 98192 85017.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang