ભુજ, તા. 16 : શનિદેવ મંદિર, ભુજનો 18મા પાટોત્સવ ની ભવ્ય ઉજવણી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી. સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ગુજરાત પ્રદેશ કરણીસેનાના અધ્યક્ષ વી.એસ.જાડેજા, ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના અધ્યક્ષ નરેશ મહેશ્વરી, જિલ્લા ભાજપના મહામંત્રીઓ ધવલ આચાર્ય, ભીમજી જોધાણી, હિતેશ ખંડોર, પૂર્વ અધ્યક્ષ દિલીપ ત્રિવેદી, જિલ્લાના ઉપપ્રમુખ અશોક હાથી, જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ પારૂલબેન કારા, યુવા મોરચાના અધ્યક્ષ રામ ગઢવી, ભુજના નગરપતિ શિતલ શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવી, પ. કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ, ડો. નવુભા સોઢા, ડો. જયદત ટેકાણી , જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિરમઆહીર, તાલુકા ભાજપના પ્રમુખ અશોકભાઈ, મહામંત્રી દિનેશભાઈ, નગર સેવક ધર્મેશ ગોર, પ્રકાશ મહેશ્વરી, ક્રિષ્નાબા જાડેજા, મનીષાબેન સોલંકી, શહેર સંગઠનના જયંતભાઈ ઠક્કર, નરેશભાઈ ચૌહાણ, મયુરાસિંહ જાડેજા, રસિકભાઈ મહેતા, કરણીસેના કચ્છના પ્રમુખ માધુભાભાઈ, વિવિધ તાલુકાના કરણી સેનાના અધ્યક્ષો, મુન્દ્રા તાલુકાના જૈન સમાજના આગેવાનો, વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવ ઉજવણીનું આયોજન મંદિરના ટ્રસ્ટી મેરૂભા જાડેજા, જયંતિ મામણીયા તથા સંચાલન સમિતિના સદસ્યો અને શનિદેવ મંદિરના ભાવિકજનો દ્વારા કરાયું હતું, તેવું મંદિરના અધ્યક્ષ રિતેન ગોર દ્વારા જણાવાયું હતું.