અમદાવાદ, તા. 8 : સ્વામિનારાયણ ગાદી ગ્રીન પ્લાનેટ
દ્વારા વિશ્વ પર્યાવરણ દિને મુક્તજીવન ફોરેસ્ટ પાર્ક-કલોલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ
પટેલ તેમજ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણાથી
મહંત ભગવતપ્રિયદાસજી સ્વામી દ્વારા `પ્રેરણા પ્રકૃતિ-3' અને `પર્યાવરણ
પ્રેરણા-3' પુસ્તકનું વિમોચન તથા મંત્રી
અને સંતવૃંદ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય, મહાનુભાવો તેમજ ગ્રીન પ્લાનેટના પ્રમુખ અહેમદ
પઠાણ ઉપસ્થિત રહ્યા હતા. ગાદી સંસ્થાન દ્વારા ગુજરાતના પાંચ શ્રેષ્ઠ પર્યાવરણવાદી શિક્ષકો
તેમજ જિલ્લામાંથી 1-1 શિક્ષકને
સન્માન સાથે 33 સભ્યને મુક્તજીવન સ્વામીબાપા
પર્યાવરણ મિત્ર એવોર્ડ-2025 મંત્રી મહંતની ઉપસ્થિતિમાં તેમજ સન્માનપત્ર યુનાઈટેડ નેશનના
લોગોવાળું, એવોર્ડ, પ્રશસ્તિપત્ર સાથે સન્માન કરી અનુક્રમે રૂા. 31000, 21000, 15000, 11000, 5000 રોકડ
ઈનામ વિતરણ પણ કરાયા હતા. આરોગ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગાદી સંસ્થાન પર્યાવરણ બચાવો સેવાયજ્ઞનું કાર્ય
જે કરી રહ્યું છે તે સરાહનીય છે. મહંતે જણાવ્યું હતું કે, સંસ્થાન
દ્વારા વૃક્ષોનું જતન, પર્યાવરણ અંગેના વિવિધ કાર્યક્રમોથી લોકજાગૃતિ
વધે છે.