• મંગળવાર, 10 જૂન, 2025

નખત્રાણામાં કેરીની આવક પણ ચુસિયા રોગથી નવી ઉપાધિ

નખત્રાણા, તા. 8 : સ્વર્ગનું ફળ ગણાતી કેરી (આંબા)માં ચાલુ મોસમમાં 50 ટકાથી ઓછો ફાલ છતાં બગીચાના વધેલા પ્રમાણના કારણે બજારમાં મોટી આવક જોવા મળે છે.  રૂા. 150 કિ.ના ભાવે વેચાતી કેસર કેરી 150ના ત્રણ કિલો એટલે કે 50 રૂપિયે કિલો વેચાય છે. જો કે, ક્વોલિટી એક્સપોર્ટ કવોલિટી માલોના ભાવ 70થી 80 કિલોના ભાવે વેચાય છે. આ વરસે કેસર કેરીનાં વૃક્ષમાં મધ્યમ કદનાં ફળો લાગેલા હતાં. દરમ્યાન કમોસમી કરા, વરસાદના મારથી હવે જ્યારે વૃક્ષોમાં કેરી પાકે છે એટલે કે શાખ પડે છે, ત્યારે ફળોમાં ચુસિયા નામનો રોગથી ઝાડમાં પાકતી કેરીમાં જીવાતનું વ્યાપક પ્રમાણ હોવાથી એવા ફળો ખાવા લાયક હોતા નથી. કેરી ઉગાડતા ખેડૂતોને એક બાજુ ઓછો પાક ને બીજીબાજુ ફળોમાં રોગચાળાના કારણે ભારે નુકસાન થવા પામ્યું છે. વેરસલપરના મોટા વિસ્તારમાં કેસર કેરીનું ઉત્પાદન કરતા સુરેશભાઈ વાલાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વરસે આંબાનાં વૃક્ષોમાં મધીઓ અને કથીર નામનો રોગ નથી પણ ચુસીયો રોગ જોવા મળે છે, જેના લીધે કેરીના પાક પકવતા ખેડૂતોને કેરીનાં વૃક્ષોમાંથી વગર શાંખવાળા કાચા ફળો ઉતારી પકવવા સલાહ આપી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd