ઈસ્લામાબાદ, તા. 8 : સિંધુ જળસંધી
ભારતે તોડી નાખ્યા પછી જળસંકટ વકરતાં પાકિસ્તાન પરેશાન થઈ ગયું છે. નદીઓ અને મુખ્ય
ડેમોમાં પાણીની સપાટી પ0 ટકા ઘટી ગઈ
છે. આવી વિકટ સ્થિતિ બોખલાયેલા પાકના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતને `જળયુદ્ધ'ની ચેતવણી આપી નાખી હતી. ભારતે ચિનાબ નદીના પાણીનો પ્રવાહ ઈરાદાપૂર્વક રોકતાં
પાકમાં પાણીનું સંકટ સર્જાયું છે, તેવો છીછરો આરોપ આસિફે મુકયો
હતો. પાક મંત્રીએ એવો પોકળ દાવો પણ કર્યો હતો કે, ભારત પરંપરાગત
યુદ્ધ હારી ચુકયું છે અને હવે અમે જળયુદ્ધમાં પણ હરાવશું. હારથી હતાશ થયેલું ભારત જળસંકટ
સર્જીને પાકિસ્તાન પર દબાણ વધારી રહ્યું છે, તેવો હાસ્યાસ્પદ
દાવો આસિફે કર્યો હતો. પાક સંરક્ષણ મંત્રીએ ભારત-પાકિસ્તાનની વચ્ચે ગુપ્ત ચર્ચા ચાલી
રહી છે, તેવી અફવાઓને ખોટી ગણાવી હતી. અહેવાલ અનુસાર,
સિંધુ જેલમ અને ચિનાબ નદીઓમાં જળપ્રવાહ 21 ટકા સુધી ઘટી ગયો છે, તો મંગલા અને તરબલા જેવા મુખ્ય ડેમોમાં જળસ્તર પ0 ટકાથી નીચે ચાલ્યું ગયું છે. ખાસ ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ભારતને ચાર વાર પત્ર લખીને સિંધુ
જળસંધી ફરી બહાલ કરવા કરગર્યું હતું.