• મંગળવાર, 10 જૂન, 2025

પાલારા જેલનો સિક્કાનો કેદી પેરોલ રજા પરથી ફરાર

ભુજ, તા. 8 : પાલારા ખાસ જેલનો પાકા કામનો કેદી કરીમ ઉર્ફે ટીચુકડો ઓસમાણ વાઘેર (રહે. સિક્કા, તા. જામનગર)એ પાંચ દિનની પેરોલ રજા લીધા બાદ પરત ન ફરતા ફરાર ઘોષિત કરી ફરિયાદ દાખલ કરાઈ છે. આ અંગે પાલારા ખાસ જેલના જેલર ગ્રુપ-2ના બી.કે. જાખલે નોંધાવેલી ફરિયાદ મુજબ હત્યાના પ્રયાસના ગુનાના જેલના પાકા કામના કેદી કરીમ ઉર્ફે ટીચુકડો હાઈકોર્ટના હુકમથી પાંચ દિનની પેરોલ રજા મંજૂર થઈ હતી. તા. 15/5ના મુક્ત કર્યા બાદ તા. 21/5ના હાજર થવાનું હતું, પરંતુ હાજર ન થતાં હાઈકોર્ટને જાણ કરી હતી. આજે આરોપી વિરુદ્ધ પેરાલ રજામાંથી હાજર ન થઈ ફરાર થયાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે પ્રિઝન એક્ટની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd