ભુજ, તા. 8 : પાલારા ખાસ જેલનો પાકા કામનો
કેદી કરીમ ઉર્ફે ટીચુકડો ઓસમાણ વાઘેર (રહે. સિક્કા,
તા. જામનગર)એ પાંચ દિનની પેરોલ રજા લીધા બાદ પરત ન ફરતા ફરાર ઘોષિત કરી
ફરિયાદ દાખલ કરાઈ છે. આ અંગે પાલારા ખાસ જેલના જેલર ગ્રુપ-2ના બી.કે. જાખલે નોંધાવેલી ફરિયાદ મુજબ
હત્યાના પ્રયાસના ગુનાના જેલના પાકા કામના કેદી કરીમ ઉર્ફે ટીચુકડો હાઈકોર્ટના હુકમથી
પાંચ દિનની પેરોલ રજા મંજૂર થઈ હતી. તા. 15/5ના મુક્ત કર્યા બાદ તા. 21/5ના હાજર થવાનું હતું, પરંતુ હાજર ન થતાં હાઈકોર્ટને જાણ કરી હતી. આજે આરોપી વિરુદ્ધ પેરાલ રજામાંથી
હાજર ન થઈ ફરાર થયાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે પ્રિઝન એક્ટની
વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.