• મંગળવાર, 10 જૂન, 2025

નાની અરલ અલખધામે વાર્ષિક પાટોત્સવ ઊજવાયો

મોટી વિરાણી (તા નખત્રાણા), તા. 8 :  નખત્રાણા તાલુકાના અરલ નાની ગામ પાસે આવેલા અલખધામ ગામે અલખધણીનાં મંદિરે આઠમો વાર્ષિક પાટોત્સવ અખિલ ભારતીય કચ્છ ગોરડિયા પરિવાર દ્વારા ઊજવાયો હતો, જેમાં  ધ્વજારોહણ-પ્રસાદ ચઢાવવામાં આવ્યા હતા.  સંતો-મહંતોનાં સામૈયાં કરાયાં હતાં. પાલાદાદા - માલણ મા મંદિર આશ્રમ હોડકા, મેઘનાથબાપુ સરલી અને મંદિરના પૂજારી નારાણબાપુ ગોરડિયા, સંતોનાં સામૈયાં- સ્વાગત કરવામાં આવ્યાં હતાં. કચ્છી રાસુડા રાસ કાર્યક્રમ યોજાયો હતો. પાટકોરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાઆરતી બાદ મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અને મહાપ્રસાદના દાતા પાલાદાદા- માલણ મા મંદિર હોડકા બન્ની તરફથી અને છાશના દાતા હાજાભાઈ લધાભાઈ ગોરડિયા ખાવડા રહ્યા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કચ્છી આરાધીવાણીના કલાકાર લાખાભાઈ મારવાડા, બની પચ્છમ એન્ડ પાટી કલાકારો દ્વારા ભજન સંત્સંગ કાર્યક્રમ યોજાયો હતો અને સંતો-મહંતો, રાજકીય - સામાજિક આગેવાનો, મહેમાનોનાં  સન્માન કરવામાં આવ્યાં હતાં. પાટકોરી કાર્યક્રમમાં નાથગાદી આસણ શિવજીભાઈ બુચિયા, માતાજી આસણ સરોજબેન શિવજી બુચિયા રખિયા, આસણ લાલજી માલા કોટવાળ, આચારભાઈ એમ. ગોરડિયા, અખિલ ભારતીય મેઘવંશી મારૂ વણકર ગોરડિયા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ કાનજીભાઈ થાવર ગોરડિયા, ઉપપ્રમુખ પરબતભાઇ ખેંગારભાઈ ગોરડિયા, કાર્યકારી પ્રમુખ બેચરભાઈ રામજીભાઈ ગોરડિયા, ખજાનચી હીરાભાઈ થાવરભાઈ ગોરડિયા, શિવજીભાઈ રાજા ગોરડિયા, પરબત કાનજી વણકર સરલી, લાલજી નારાણ ઓઢાણા, રાજા હરજી બળિયા, ભીમજી માસ્તર હાજર રહ્યા હતા. સંચાલન ડાહ્યાલાલ શિવજી ગોરડિયાએ કર્યું હતું અને આભારવિધિ વિશ્રામ ગોરડિયાએ કરી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd