ભુજ, તા. 20 : શૈક્ષણિક વર્ષ 2024-25થી વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક
પરીક્ષાઓ પ્રત્યેનો વિશેષ અભિગમ કેળવવા તેમજ તેમને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી સંસ્કાર
એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા `સંસ્કાર જ્ઞાનસમૃદ્ધિ
સ્કોલરશિપ ટેસ્ટ'નું આયોજન કરવામાં
આવે છે. ગયા વર્ષે આશરે 140 વિદ્યાર્થીઓએ
આ પરીક્ષા આપી અને તેમાંથી ચાર વિદ્યાર્થીઓએ 50 ટકા, જ્યારે પાંચ
વિદ્યાર્થીઓએ 25 ટકા સ્કોલરશિપ
મેળવી હતી. સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વિરેનભાઈ શાહ તેમજ મિતુલભાઈ પારેખના
જણાવ્યા અનુસાર શૈક્ષણિક વર્ષ 2025-26માં
ધો. 1થી 12માં પ્રવેશનાર કોઈપણ વિદ્યાર્થી સંસ્કાર સ્કૂલ દ્વારા તા. 27/4, તા. 18/5 અને તા. 1/6 (તમામ રવિવાર) લેવાનાર પરીક્ષામાં
પૂરી તૈયારી સાથે ભાગ લઈ શકે છે. આ પરીક્ષા અંગ્રેજી તેમજ ગુજરાતી બંને માધ્યમમાં લેવાનાર
છે. આચાર્ય વિરાજભાઈ બારોટ અને જગદીશભાઇ બારૂના જણાવ્યા મુજબ ધો. 1 અને 2માં સામાન્યજ્ઞાન, ગણિત, ગુજરાતી, અંગ્રેજી અને પર્યાવરણ
દરેકના 20 એમ કુલ્લ 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. ધો.
3થી 10માં સામાન્યજ્ઞાન (20), ગણિત (20), ગુજરાતી
(15), અંગ્રેજી (15), પર્યાવરણ/વિજ્ઞાન (15) અને સા. વિજ્ઞાન (15) એમ કુલ્લ 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે, જ્યારે ધો. 11 અને 12માં સા. જ્ઞાન (25), ભૌ. વિજ્ઞાન/નામું/મનોવિજ્ઞાન
(15), રસા. વિજ્ઞાન/અર્થશાત્ર (15), ગણિત/આં. શાત્ર/જીવવિજ્ઞાન/સા.
વિજ્ઞાન (15), અંગ્રેજી (15) અને ગુજરાતી (15) એમ 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. લાભ
લેવા ઇચ્છતા તમામ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સ્કોલરશિપ ટેસ્ટના રજિસ્ટ્રેશન માટે આપેલ
ક્યૂઆર કોડ સ્કેન કરી ઓનલાઇન ફોર્મ ભરી મોકલી આપવું અથવા 70696 76769 પર વિદ્યાર્થીનું નામ, ધોરણ અને માધ્યમની વિગત વોટ્સએપ કરવા ઉપાચાર્ય
વિંકલ ચૌહાણ તેમજ પંકજ ગામોટ દ્વારા જણાવાયું છે. તા. 27 એપ્રિલ, 18 મે અને 1 જૂન પૈકી કોઈ એક વખત જ વિદ્યાર્થી પરીક્ષા
આપી શકશે અને આ તમામ પરીક્ષાઓના દિવસે જ્યુબિલી ગ્રાઉન્ડથી સ્કૂલ તેમજ પરીક્ષા બાદ
જ્યુબિલી ગ્રાઉન્ડ મૂકવા માટે બસની સુવિધા વિનામૂલ્યે રહેશે તેવી જાણકારી મેનેજર નીલેશ
ગોહિલે આપી હતી.