ભુજ,
તા. 3 : પુષ્ટિમાર્ગના આચાર્ય પૂ. દ્વારકેશલાલજી મહોદય (કડી-અમદાવાદ)ને સ્પિરિચ્યુઅલ લીડરશિપની ડોક્ટરેટની પ્રતિષ્ઠિત પદવી `યુરોપિયન
ઇન્ટરનેશનલ યુનિવર્સિટી' દ્વારા એનાયત કરવામાં આવી છે. કચ્છ જિલ્લા વૈષ્ણવ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટે આ બદલ આનંદની લાગણી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે દ્વારકેશલાલજીના 50મા જન્મ દિનના ઉપક્રમે આ આખું વર્ષ `પૃથ્વી
પરિક્રમા મહોત્સવ' અંતર્ગત ઊજવવામાં આવશે, જેમાં પુષ્ટિધ્વજ લઇ વિશ્વના 50 દેશમાં `પ્રાઉડ
ટુ બી અ વૈષ્ણવ' અભિયાન હાથ ધરવામાં આવશે.