• રવિવાર, 07 જુલાઈ, 2024

કચ્છના ડેમોમાં ગત વર્ષની તુલનાએ 29 ટકા ઓછો જળસંગ્રહ

ભુજ, તા. 3 : ચાલુ સાલે રાજ્ય પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ  જેઠમાં સારો વરસાદ પડયો છે. જો કે, વરસાદ સચરાચરો હોતાં ડેમ-જળાશયોમાં પાણીની કોઈ નોંધનીય આવક થઈ નથી. ગયા વર્ષની સરખામણીએ કચ્છના ડેમોમાં 20 ટકા ઓછો જળસંગ્રહ થયો છે. જિલ્લામાં અત્યાર સુધી સરેરાશનો 2 ટકા વરસાદ વરસ્યો છે. 10 પૈકીના તાલુકા એવા છે કે, જેમાં 20 ટકાથી ઓછી મેહવર્ષા છે. ખાસ કરીને કેચમેન્ટ વિસ્તારમાં તુલનાત્મક રીતે ઓછો વરસાદ પડયો છે. જેની સીધી અસર ડેમોના જળસંગ્રહ પર પડી છે. કચ્છમાં ગયાં વર્ષે બિપરજોય વાવાઝોડાંની અસર તળે જૂનમાં 87 ટકા જેટલો વરસાદ પડતાં મધ્યમસિંચાઈ યોજના હસ્તકના કેટલાક ડેમો ઓવરફ્લો થવા સાથે કુલ 0 ટકા જેટલો જળસંગ્રહ થયો હતો, જેની સરખામણીએ વખતે હજુ સુધી 2 ટકા વરસાદ પડયો છે. જિલ્લામાં સાથી વધુ 4 ટકા વરસાદ મુંદરા તાલુકામાં પડયો છે. મધ્યમ કક્ષના ડેમોમાં અત્યાર સુધી 21.7 ટકા જળસંગ્રહ થયો છે. 20 પૈકી સૌથી વધુ 82 ટકા પાણી મુંદરા તાલુકાના કારાઘોઘા ડેમમાં સંગ્રહિત થયું છે. કારાઘોઘા ડેમને હાલ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. બીજીબાજુ સાત ડેમમાં 10 ટકાથી ઓછું પાણી બચ્યું છે. એટલે કે, ડેમો મોટાભાગે તળિયાઝાટક છે. ખાસ કરીને કચ્છના સૌથી મોટા રુદ્રમાતા ડેમમાં માત્ર 0.30 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. ટપ્પર, બેરાચિયા, ગોંધાતડ, ડોણ સહિતના ડેમ એવા છે કે, જેમાં કંઈકઅંશે સંતોષકારક ગણી શકાય એવો જળનો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના અધિકાંશ ડેમોમાં 20થી 30 ટકા વચ્ચે પાણી બચ્યું છે. નાની સિંચાઈ યોજનાના 170 પૈકી 6 ડેમમાં હાલ જળરાશિ ઉપલબ્ધ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang