નવી દિલ્હી તા.15 : દેશમાં કોરોનાના નવા વેરિયેન્ટથી સંક્રમણના કેસ અને મૃત્યુઆંક
દિવસેને દિવસે વધી રહ્યો છે. પહેલીવાર ર4 કલાકમાં દેશમાં કોરોનાના 10 દર્દીનાં મૃત્યુ થયા છે અને કોરોનાના સક્રીય કેસ વધીને 7383 થયા છે. કેરળ અને ગુજરાત દેશમાં
સૌથી અસરગ્રસ્ત રાજ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટથી કેરળમાં પ, દિલ્હીમાં 3 અને મહારાષ્ટ્રમાં એકનું મૃત્યુ થયું છે.
જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 97 મૃત્યુ થયાં
છે. રવિવારે નવા દર્દીઓ સામે આવ્યા ન હતા અને 17 દર્દી સાજા થતાં રજા અપાઈ હતી. દેશમાં હાલ કેરળમાં સૌથી વધુ
ર007 સક્રીય કેસ છે. અહીં મૃત્યુઆંક
ર8 થયો છે. પછીના ક્રમે ગુજરાતમાં 1441 અને પશ્ચિમ બંગાળમાં 747 કેસ છે. ભારતમાં આ વખતે કોરોનાના ચાર નવા વેરિયેન્ટ એલએફ.7, એક્સએફજી, જેએન.1 અને એનબી.1.8.1 મળ્યા છે. જેને પગલે વિવિધ
રાજ્યોમાં સાવચેતી રૂપે પગલાં લેવાઈ રહ્યાં છે. ડબલ્યુએચઓ અનુસાર કોરોનાના નવા વેરિયેન્ટના
કેસ ગંભીર નથી. લોકોએ ચિંતા કરવાની નહીં બસ સાવચેતી રાખવાની જરૂર છે.