ભુજ, તા. 15 : નૈઋઍત્યના ચોમાસાનાં આગમનની
કચ્છમાં કાગડોળે રાહ જોવાઈ રહી છે. આમ તો કચ્છમાં
જૂનના અંતિમ સપ્તાહમાં ચોમાસું વિધિવત રીતે પધરામણી કરતું હોય છે. જુલાઈ અને ઓગસ્ટ
માસમાં વરસાદની ખરી જમાવટ જોવા મળતી હોય છે. હાલમાં અનુભવાતા ગરમી-ઉકળાટના માહોલ વચ્ચે
જિલ્લાના મધ્યમ સિંચાઈના ડેમોમાં જળસ્તર સતત ઘટી રહ્યું છે. 20માંથી 6 ડેમ સાવ તળિયાઝાટક થઈ ગયા છે. સિંચાઈ વિભાગમાંથી મળેલા સત્તાવાર
આંકડા અનુસાર મધ્યમ સિંચાઈના 20 ડેમની 32પ.26 મિલિયન કયુબિક મીટરની કુલ જળસંગ્રહ ક્ષમતા સામે હાલની સ્થિતિએ
89.67 મિલિયન કયુબિક મીટર પાણીનો
જથ્થો સંગ્રહિત છે, જે કુલ જળસંગ્રહ
શક્તિના 27.પ7 ટકા થવા જાય છે, તો જીવંત જથ્થાની વાત કરીએ તો ડેમોમાં જીવંત
પાણીનો જથ્થો માંડ 21.97 ટકા જ બચ્યો
છે. હવામાન નિષ્ણાતોના મતે ચોમાસું કચ્છમાં તેના નિયત સમયે મંડાણ કરે તેવી પૂરી શકયતા
દેખાઈ રહી છે. આમ છતાં વરસાદનાં સાર્વત્રિક રાઉન્ડમાં જો વિલંબ થાય તો જળસંકટની સ્થિતિ
થોડી વિકટ બની શકે તેમ છે. - ચોથા ભાગના
ડેમોમાં 10 ટકાથી
પણ ઓછું પાણી : કચ્છના 20માંથી છ ડેમ એવા છે કે, જેમાં 10 ટકાથી પણ
ઓછું પાણી બચ્યું છે. આ તમામ ડેમોમાં જીવંત જથ્થો તો સાવ તળિયે જોવા મળી રહ્યો છે.
તળિયાઝાટક થવા જઈ રહેલા છ ડેમમાં કાસવતી, રુદ્રમાતા, ભૂખી, મથલ, કાલિયા, સાનધ્રોનો સમાવેશ થાય છે. કાલિયા ડેમમાં તો જથ્થાની
ટકાવારી સાવ ઝીરો થઈ ગઈ છે. - ચાર ડેમમાં પ0 ટકાથી વધુ પાણી : તો ચાર ડેમ એવા પણ છે કે, જેમાં જળસંગ્રહની સ્થિતિ એકંદરે ઘણી સારી જોવા
મળી રહી છે. ચાર ડેમ એવા છે કે, જેમાં પ0 ટકાથી વધુ પાણીનો જથ્થો બચ્યો છે. મુંદરાના
કારાઘોઘામાં 82.પ3, ટપ્પરમાં 6પ.43, બેરાચિયામાં 6.64 અને ગોધાતડમાં પ0.32 ટકા પાણી ઉપલબ્ધ છે. - જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી વાંધો નહીં આવે : સિંચાઈ વિભાગના જણાવ્યાનુસાર જુલાઈ માસના
પ્રથમ સપ્તાહ સુધી જળસંગ્રહને લઈ કોઈ વાંધો આવે તેમ નથી પણ એ પહેલાં સચરાચર વરસાદનો
એક રાઉન્ડ નહીં આવે તો સ્થિતિ ચિંતાજનક બની શકે છે.