ભુજ, તા. 15 : અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ કચ્છ
દવારા અંગદાન કરેલ અગિયાર અંગદાતાઓના પરિવાર, અંગદાન જ્યાં સ્વીકારવામાં આવ્યું એ હોસ્પિટલો, ડોક્ટરો,
પોલીસ તંત્ર સહિતના અંગદાન પ્રક્રિયા માં મદદરૂપ થનાર અને સંકળાયેલ લોકોનું
સન્માન કરી તેમના ઋણ સ્વીકાર કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ
ના દિલીપભાઈ દેશમુખ (દાદા) ને પોતે ટ્રાન્સપ્લાન્ટ થી અંગદાન મેળવી ને જીવતદાન મેળવ્યું
તેને પાંચ વર્ષ પુરા થતા તેમણે છેલ્લા પાંચ વર્ષ થી અંગદાન અંગે કચ્છ તેમજ સમગ્ર રાજ્ય
માં અંગદાન અંગે મુહિમ ઉપાડી છે. ત્યારથી અત્યાર સુધી ની તેમની સફર અને અંગદાન માં
મદદ કરનાર તમામ લોકો નો આ પ્રસંગે તેમણે ઋણ સ્વીકાર કર્યો હતો. દિલીપભાઈએ પોતાના ટ્રાન્સપ્લાન્ટ
અંગેના અનુભવોનું વર્ણન કરી તેમાં મદદ રૂપ થયેલ લોકોને યાદ કરી તેમનો આભાર માન્યો હતો.
અને સાથે સાથે તેમને પોતાની થર્ડ ઈનીંગની કેવી રીતે શરૂઆત કરી તે અંગે વિસ્તૃત માહિતી
પુરી પાડી જણાવ્યું હતું કે અંગદાન એ એક અદભુત ક્ષણ છે જેનાથી કેટલાય લોકોને જીવતદાન
મળે છે અને અંગદાન કરનાર પરિવાર તેમજ અંગદાન માટે કાર્ય કરનાર લોકોને એક સદ્કાર્ય કરવાનો
સૌભાગ્ય મળે છે. તેમણે વિશેષ માં જણાવ્યું હતું કે જિંદગીનો કોઈ ભરોસો નથી તમારો પ્રત્યેક
દિવસ નવો છે તેને માણી લ્યો, તેને જીવી લ્યો. અંગદાતા પરિવારના
સદસ્યોંએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે પોતાના પરિજન ના અંગો નું દાન કરવાનું
સદભાગ્ય તેમને મળ્યું અને તેના દવારા અન્ય લોકો ને જિંદગી મળી છે તેનો અમને આત્મસંતોષ
છે. ડો. ઋગ્વેદ ઠકકર દવારા અંગદાન કોણ કરી શકે અને કેવી રીતે થઇ શકે તેની વિસ્તૃત માહિતી
આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અંગદાન અંગે સરકાર દવારા `નોટો'
અને `સોટો' જેવી સિસ્ટમ થી કોનું અંગ કોને આપવામાં આવશે
તે તમામ બાબત પારદર્શકતાથી નક્કી થતી હોવાનું અને તમારા દવારા કરવામાં આવતું અંગદાન
ક્યારેય એળે જતું નથી તેવું જણાવી કોઈ પણ શંકા રાખ્યા વગર અંગદાનના મહાન કાર્ય માં
જોડાવા માટે જણાવ્યું હતું. ધારાસભ્ય કેશુભાઈ
પટેલ અને અનિરુદ્ધ ભાઈ દવે એ અંગદાન જેવા મહાન કાર્ય માં સહયોગી થવા બદલ અંગદાતા પરિવારો,
હોસ્પિટલો, ડોક્ટરો અને પોલીસ તંત્ર સહિત તમામ
ને અભિનંદન પાઠવ્યા હતા અને ઉપસ્થિત લોકો ને આવા સદ્કાર્ય માં જોડાવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં વિવિધ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્ય ને બિરદાવ્યું હતું નારાયણ
સરોવર ના સોનલલાલજી મહારાજ ઉપરાંત હિંમતાસિંહજી વસણ, પૂર્વ પૂર્વ
રાજ્ય મંત્રી વાસણભાઈ આહીર, મુકેશભાઈ ચંદે, પારૂલબેન કારા, ગોપાલભાઈ ગોરસિયા, અરજણભાઈ પિંડોરિયા, નવીનભાઈ આઇયા, મહેન્દ્રભાઈ ગઢવી, વિજયભાઈ ગોર, કર્નલ સગવાન, કોમલભાઈ છેડા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા
હતા. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દવારા 11 અંગદાતા પરિવારો ઉપરાંત લેવા પટેલ હોસ્પિટલ ભુજ, ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર, કે કે પટેલ હોસ્પિટલ ભુજ તેમજ 15 જેટલાં ડોક્ટરો જેમાં ડો. મુકેશભાઈ ચંદે, ડો. મિત ઠકકર, ડો.અરાવિંદ
ચંદ્રશેખર, નિશિત રાજ્યગુરુ, ડો. તારેખ
ખત્રી, ડો.સંજય ગઢવી, ડો.મિતેષ ઉકાણી,
ડો. અર્પિતા માણેક, ડો. મેહુલ કાલાવાડિયા,
ડો.તૃપ્તિ સોથલીયા, ડો. નિલેશગીરી ગોસ્વામી તેમજ
પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર નું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાગત સંદીપભાઈ
આહીર દવારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ નિલય ત્રિવેદીએ કરી હતી. અંગદાન ચેરિટેબલ
ટ્રસ્ટના રાહુલભાઈ ગોર, તાપસભાઈ શાહ, રમેશભાઈ
કારા, સંજય ગઢવી, ઓમકાર વ્યાસ, ચેતન કતીરા, જય લાલન, કાનજી ગઢવી,
મનોજ ગઢવી, ધૈર્યબેન શાહ, સાવિત્રીબેન જાટ, ગાયત્રીબેન જાટ, મીનાબેન ભાનુશાલી, સનીભાઈ ઠક્કર, વિશાલભાઈ પંડ્યા સહિતનાઓએ આયોજન માટે જહેમત ઉઠાવી હતી. - અંગદાન કરનાર
અંગદાતાઓ : સ્વ. નિહારિકાબેન વ્યાસ, સ્વ. પ્રીતિબેન દીપકભાઈ મોરબીયા, સ્વ. હાસબાઇ મગનભાઈ મહેશ્વરી, સ્વ. કાંતિભાઈ રામજીભાઈ
રામજીયાણી, સ્વ. સુનિલભાઈ લાલજીભાઈ વિઝોડા, સ્વ. શિવમ રમેશભાઈ આહિર, સ્વ. જીનલ જગદીશભાઈ રાજગોર,
સ્વ. પ્રકાશભાઈ સુરેશભાઈ ચંદે, સ્વ. અપર્ણાબેન
તુષારભાઈ શાહ, સ્વ. મનીષભાઈ રતિલાલભાઈ ભટ્ટી, સ્વ. પુંજાભાઈ વેરશીભાઈ મહેશ્વરી.