ભુજ, તા. 15 : ચારધામ અને ખાસ કરીને કેદારનાથ દર્શન
માટેની હેલિકોપ્ટર સેવાઓની સુરક્ષા અને વ્યવસ્થાપન સામે લાંબા સમયથી સવાલો સર્જાયા
છે. સાતમી જૂને દુર્ઘટના બાદ આજે ફરી એકવાર ચોપર તૂટી પડતાં સાત જણનાં મોત થયાં છે. કચ્છથી જ ગયેલા શ્રદ્ધાળુઓના એક જૂથે હેલિકોપ્ટર
સેવા અંગેનો કડવો અનુભવ વર્ણવતાં જણાવ્યું હતું કે,
થોડા સમય પહેલાં અમારે કેદારનાથ જવાનું હતું અને મોંઘા ભાવે હેલિકોપ્ટરની
સેવા લેવાનું નક્કી કર્યું, પણ હેલિકોપ્ટરે ઉડાન ભર્યા બાદ થોડા
અંતર બાદ કહેવામાં આવ્યું કે, ચોપરમાં ઈંધણ ઓછું છે એટલે તરત
હેલિકોપ્ટરને પાછું વાળવામાં આવ્યું અને ફ્યુઅલની પ્રક્રિયા કરવામાં આવી અને ફરી ઉડાન
ભરી હતી! દરમ્યાન મીડિયા અહેવાલો મુજબ આ હેલિકોપ્ટરનો સમય 6.30થી 7 વાગ્યાનો હતો, પણ વધુ રૂપિયાની લાલચમાં તેની બહુ વહેલું જ
ઉડાન ભરવામાં આવી હતી જેને લીધે આ દુર્ઘટના સર્જાઈ છે.