• સોમવાર, 02 માર્ચ, 2026

ગાંધીધામમાં 1008 કુંડી વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞનું આયોજન

ગાંધીધામ, તા. 1 : ગાંધીધામમાં વારાણસીની સદગુરુ સદાફલદેવ વિહંગામ યોગ સંસ્થાન અને ગાંધીધામ અગ્રવાલ સમાજ તત્ત્વાધાનમાં આગામી તા. 29/3/26ના    વિશ્વ કલ્યાણ હેતુ 1008 કુંડી વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞ અને વિહગમ યોગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. બાબાસાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરની બાજુમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ગ્રાઉન્ડમાં આયોજન કરાયું છે. આ યજ્ઞ સ્વર્વેદુ મહામંદિર ધામ, ઉમરહા, વારાણસી વિશાલતમ સાધના કેન્દ્રના સહયોગથી કરવામાં આવી રહ્યો છે. આ મહાયજ્ઞ અને યોગ સમારોહને સફળ બનાવવા માટે અગ્રવાલ સમાજની બેઠક મળી હતી, જેમાં આ કાર્યક્રમના મુખ્ય આયોજક ધવલ આચાર્ય, સુરેશ ગુપ્તા અને સમીર ગર્ગની આગેવાની હેઠળ આ યજ્ઞમાં જોડાયેલા તમામ સહયોગી અગ્રણી અને સમાજ સાથે ચર્ચા કરવામાં આવી હતી. રણનીતિની બનાવાઈ હતી તેમજ આ બેઠકમાં વારાણસીથી સંત કિશનલાલ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે સંસ્થાઓ દ્વારા ગાંધીધામ અને કચ્છની જનતાને આ મહાયજ્ઞની આહુતિમાં યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. 

Panchang

dd