• સોમવાર, 16 જૂન, 2025

દેશભરના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે કચ્છનાં આંગણે રાષ્ટ્રીય કક્ષાની ગોલબોલ તાલીમ

ભુજ, તા. 14 : કચ્છનાં આંગણે ભારતભરના પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવા  રાષ્ટ્રીય ગોલબોલ તાલીમ કેમ્પમાં પોતાની ઉમેદવારી નોંધાવશે. નવચેતન દિવ્યાંગ સ્પોટ્સ એન્ડ ક્રિકેટ એકેડેમી, નવચેતન અંધજન મંડળ માધાપર, સૂર્યા વરસાણી એકેડમી તથા કચ્છમિત્ર દૈનિકના સંયુક્ત યજમાન પદે  તા. 21-6-2025થી તા. 28-6-2025 દરમ્યાન ફક્ત અંધજનો માટેની ખાસ ઓલમ્પિક રમત રાષ્ટ્રીય ગોલબોલનો તાલીમ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ આગામી આંતરરાષ્ટ્રીય ગોલબોલ સ્પર્ધાઓ તથા ઓલમ્પિક સ્પર્ધાઓ માટે દેશના 40  પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનોને તાલીમ આપવી, ભારતની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટેની તૈયારી કરાવવાનો તથા ટીમ પસંદગી કરાવાનો છે. ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટસ એસોસિએશન તથા ગોલબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખાસ તાલીમબદ્ધ  કોચ, રેફરી આ તાલીમ કેમ્પમાં ઉપસ્થિત રહી 20 જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ તથા 15 પ્રજ્ઞાચક્ષુ બહેનોને મેન્ટલ કન્ડિશાનિંગ ફિઝિકલ ટ્રાનિંગ તથા કેમ્પ ટેકનિક શીખવશે ત્યારબાદ જરૂરિયાત મુજબ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટેની ટીમ પણ પસંદગી કરશે.તાલીમ કેમ્પમાં દેશભરમાંથી 40 જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ બહેનો ભાગ લેશે.  કાચિંગ કેમ્પ ભુજ પાસે આવેલી સૂર્યા વરસાણી એકેડેમી શાળાના આંતરરાષ્ટ્રીય સુવિધા ધરાવતા ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે, જ્યારે નિવાસ, ભોજન અને કેટલાક શેસન નવચેતન મંડળ માધાપર ખાતે આયોજિત કરવામાં આવશે.  નવચેતન અંધજન મંડળ માધાપર, સૂર્યા વરસાણી એકેડેમી તથા કચ્છમિત્ર દૈનિક દ્વારા અગાઉ પણ રાષ્ટ્રીય કક્ષાની ફૂટબોલ સ્પર્ધા, રાજ્ય કક્ષાની મનોદિવ્યાંગ ખેલાડીઓ માટેની ક્રિકેટ સ્પર્ધા તથા દિવ્યાંગ રમતોત્સવ જેવા કાર્યક્રમો કરી પેરા રમતવીરોને પ્રોત્સાહિત કરવાનું કામ કરી ચૂક્યા છે. જેનાં પરિણામરૂપે કચ્છની પ્રજ્ઞાચક્ષુ ફૂટબોલ ટીમ તથા ગોલબોલ ટીમ રાષ્ટ્રીય કક્ષાએ રનરઅપ બની શકી છે તથા અસ્થિવિષયકની ક્રિકેટ ટીમ ઘણા વર્ષોથી રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બની હતી.  આ આયોજન માટે સૂર્યા વરસાણી એકેડમીના વિશ્રામભાઈ, ધનજીભાઈ, વાક્રોફ્ટ ફાઉન્ડેશનના શશીભાઈ તથા ચાંદનીબેન, રામજી કાનજી હિરાણી ચેરિટેબલ ટ્રસ્ટના જાદવજીભાઈ વરસાણીએ આર્થિક સહયોગ પૂરો પાડયો છે જ્યારે કચ્છમિત્ર દ્વારા સંસ્થાને હરહંમેશ સહકાર મળી રહ્યો છે. સંસ્થાના પ્રમુખ  વિનોદભાઈ ગડા, ઉપપ્રમુખ હીરાલાલ ચાવલા મહામંત્રી લાલજીભાઈ પ્રજાપતિ, મંત્રી હિમાંશુભાઈ સોમપુરા તથા ખજાનચી ઝીણાભાઈ ડબાસિયા સહયોગી બન્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd