• સોમવાર, 12 મે, 2025

રક્તદાન કરી રાષ્ટ્રસેવાના યજ્ઞમાં કચ્છીઓએ આહુતિ આપી

ભુજ, તા. 9 : પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા અને તેની વળતી સૈન્ય કાર્યવાહીના ભાગરૂપે ભારતે કરેલ ઓપરેશન સિંદૂરથી ભારત-પાક વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો યુદ્ધ ફાટી નીકળે તો આપાતકાલીન સ્થિતિમાં લોહીનો જથ્થો ખૂટી ન પડે એ રક્તદાનનાં  માધ્યમથી રાષ્ટ્રસેવા કરવાની તક મળી છે ત્યારે કચ્છીઓ સ્વયંભૂ રીતે સ્વૈચ્છિક રકતદાન કરવા માટે ઉત્સાહ દેખાડી રહ્યા છે. ઓપરેશન સિંદૂર અર્પણનાં નામથી લાયન્સ કલબ, અદાણી સંચાલિત જનરલ હોસ્પિટલ, પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વિવિધ સમાજના સહયોગ સાથે મહારકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ રક્તદાન કેમ્પમાં 40 બોટલ રકત એકત્રિત કરાયું હતું. લાયન્સ હોસ્પિટલ ખાતે આયોજિત આ રક્તદાન કેમ્પમાં પોલીસ જવાનો, વિવિધ સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, સેવાભાવી આગેવાનો, શિક્ષક, પ્રાધ્યાપક, વકીલ , કોલેજિયન છાત્રો સહિત આ રકતદાન કેમ્પમાં જોડાયા હતા. આ રકતદાન કેમ્પનો જનરલ હોસ્પિટલની બ્લડબેન્કના વડા ડો. જિજ્ઞાબેન ઉપાધ્યાય, લાયન્સ હોસ્પિટલના ચેરમેન ભરતભાઈ મહેતા, અભયભાઈ શાહ, માનવજ્યોતના પ્રબોધ મુનવર, ભુજ એ-ડિવિઝન પી.આઈ. શ્રી પટેલ, પોલીસ હેડકર્વાર્ટરના શ્રી રાઠવા, ભૌમિક વચ્છરાજાની, હિતેશ ચત્રભુજ ઠક્કર, બીએનઆઈના સપન મહેતા સહિતના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. કેમ્પમાં રક્તદાન કરવા આવેલા માધાપરના મહેક પટેલ, જેઆઈસીમાં ફરજ બજાવતા કે.એસ. ચૌધરી, ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા નરશીભાઈ ચૌધરી, વિજયકુમાર વાઘેલા, એકતાબેન પરમાર, લાલન કોલેજના પ્રાધ્યાપક રમેશ વરચંદ, ભુજ મારૂ કંસારા સોની સમાજના પ્રમુખ હિતેશભાઈ સોની, આર્મીના નિવૃત્ત જવાન પલેજા હુશેન સહિતે પોતાની લાગણી વ્યકત કરતાં કહ્યું કે, યુદ્ધ જેવી આપાતકાલીન સ્થિતિ સર્જાય તો રાષ્ટ્રસેવાની અમને તક મળી છે તે બદલ ગર્વ અનુભવ્યો હતો. હજુ વધુ લોકો  રક્તદાન કરવા આગળ આવે તેવી અપીલ કરી હતી. આ કેમ્પમા રોટરી કલબ, જાયન્ટ્સ કલબ, આઈએમએ ભુજ, જીતો, ઈન્ડિયન રેડક્રોસ , ઈન્નરવ્હીલ ક્લબ સહિતનો સહયોગ મળ્યો હતો. મહિલા રકતદાતાઓની સંખ્યા સવિશેષ જોવા મળી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd