• શનિવાર, 23 મે, 2026

કોકરોચ જનતા પાર્ટીના ફોલોઅર્સ બે કરોડને પાર

નવી દિલ્હી, તા. 22 : કોકરોચ જનતા પાર્ટીના અચાનક લોકપ્રિય થવાથી તેના સંસ્થાપક અભિજિત દીપકેના માતા-પિતા ચિંતામાં મુકાયા છે. તેમને ડર છે કે તેમનો પુત્ર કોઈ મુસીબતમાં સપડાઈ શકે છે. તેની ધરપકડ પણ થઈ શકે છે. દરમ્યાન, અભિજિતે સાત દિવસે પહેલી ઓનલાઇન અરજીમાં નીટ પેપર લીક મામલે શિક્ષણમંત્રીનાં રાજીનામાંની માંગ કરી હતી. અભિજિતના માતા-પિતા ભગવાન અને અનિતા દીપકે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રહે છે. બંનેએ એક મરાઠી સમાચાર ચેનલને જણાવ્યું હતું કે, તેઓ પોતાના પુત્રને રાજકારણમાં મોકલવા માગતા ન હતા. અભિજિતનાં પગલાંથી અમારી રાતોની ઊંઘ ઊડી ગઈ છે. ાસ્તવમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે 15મી મેના સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમ્યાન દેશના બેરોજગાર યુવાનોને કોકરોચ કહ્યા હતા.  

Panchang

dd