• શનિવાર, 27 જુલાઈ, 2024

આજે અગ્નિપરીક્ષા પૂર્વે બિહારમાં ઉચાટ

પટના, તા. 11 : બિહારમાં આવતીકાલે સોમવારે વિશ્વાસ મત પરીક્ષણ રૂપે નીતીશકુમારની અગ્નિપરીક્ષા પૂર્વે રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. `સત્તાપરીક્ષા'ના એક દિવસ પહેલાં ત્રણ ધારાસભ્ય પ્રશિક્ષણ શિબિરમાં નહીં આવતાં હવે ભાજપની પણ ચિંતા વધી છે. ગેરહાજર રહેલાં રશ્મિ વર્મા તેમનાં સાસુ બીમાર હોવાથી આવી શક્યાં હાવાના વાવડ છે, તો મિશ્રાલાલ યાદવની કોઈ જાણકારી મળી નહોતી. બિહારમાં નીતીશ સરકારના વિશ્વાસ મત પહેલાં તેમની પાર્ટીના 4 ધારાસભ્ય સંપર્કવિહોણા બનતાં ચકચાર મચી છે. તેમના મોબાઈલ ફોન બંધ છે. જેડીયુએ રવિવારે વિધાનમંડળની બેઠક બોલાવી હતી, જેમાં તમામ 4 ધારાસભ્ય હાજર હતા. જે 4 ધારાસભ્યનો સંપર્ક નથી થઈ રહ્યો તે બીમા ભારતી, સુદર્શન, દિલીપ રાય અને રિંકુ સિંહ હોવાનું સામે આવ્યું છે. અન્ય ધારાસભ્ય ભાગીરથી દેવી એક દિવસ પહેલાં ધારાસભ્ય સાથે હતાં, પરંતુ આજે પ્રશિક્ષણ શિબિરમાં સામેલ થયાં નહોતાં.ગયાની હોટલમાં રોકાયેલા ભાજપના તમામ ધારાસભ્યોને બે બસમાં પટના લાવવાની પક્ષે તૈયારી કરી હતી. વિશ્વાસ પૂર્વે ગૃહમંત્રી અમિત શાહે ગયામાં ચાલતી પ્રશિક્ષણ શિબિરને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. રાજભવનમાં કાનૂની સલાહકારની આખી ટીમને બદલી દેવાઇ છે. પોતાના ધારાસભ્ય તૂટે તેની તકેદારીરૂપે રાજદ, કોંગ્રેસ, જેડી-યુ, ભાજપે વાડાબંધી કરી દીધી છે. રાજદ નેતા તેજસ્વી યાદવે પક્ષના તમામ ધારાસભ્યોને ગઇકાલથી પોતાનાં ઘરમાં રોકી રાખ્યા?છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang