ગાંધીધામ, તા. 19 : અબડાસા
તાલુકાના સણોસરાના રહેવાસી સાથે થયેલી છેતરપિંડીના કેસમાં નલિયા કોર્ટે આારોપીને સાદી
કેદની સજા અને ચેક જેટલી રકમનું વળતર આપવા હુકમ કર્યો હતો. આ કેસની પૂર્વ વિગતો મુજબ
ફરિયાદી પરેશસિંહ બનુભા જાડેજા પાસેથી આરોપી ઓસમાણ આદમ લાંગાયે મિત્રતાના સંબંધે 47 ભેંસ ખરીદી હતી. 20.91 લાખની રકમ પૈકી છ લાખ ચૂકવ્યા હતા અને બાકીના 14.91 લાખનો ચેક ફરિયાદીને આપ્યો હતો. બેન્કમાં ચેક નાખતાં
અપૂરતાં ભંડોળનાં કારણે ચેક પરત ફર્યો હતો. આ કેસમાં નલિયાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ
મેજિસ્ટ્રેટ આસીફ આબિદહુસેન ખેરાદવાલાએ પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપી ઓસમાણ આદમ લાંગાયને
તકસીરવાન ઠેરવ્યો હતો. કેદની સજા અને અને ચેકની રકમ જેટલું જ વળતર આપવા ચુકાદો આપ્યો
હતો. આ કેસમાં ફરિયાદી તરફે કિશોરગિરિ ગોસ્વામીએ હાજર રહી દલીલ કરી હતી.