મુંદરા, તા. 8 : અહીંની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના માર્કેટયાર્ડ મધ્યે ગુજરાત રોડ સેફ્ટી
ઓથોરિટી દ્વારા સાપ્તાહિક સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો. ભારે મધ્યમ વાહનની પાછળ સલામતી
ઉપકરણો લગાવવામાં જાગૃતિ ફેલાય તે માટેના કાર્યક્રમની શરૂઆત એ.પી.એમ.સી.ના ચેરમેન હઠુભા
ભોજરાજજી જાડેજા અને ડાયરેક્ટર મહેન્દ્રાસિંહ પૂજાજી જાડેજાનાં માર્ગદર્શનમાં કરવામાં
આવી હતી, જેમાં
આર.ટી.ઓ.ના અધિકારી શ્રી ચૌધરીએ હાજર રહી વિઝ્યૂલેશનના અભાવે વાહનોનાં રાત્રિ દરમ્યાન
થતા અકસ્માત નિવારવા માટે સલામતીનાં ઉપકરણો જેવા કે, રિફ્લેક્ટર્સ,
રિફલેકટિવ, ટેપ્સ અને રિઅર માકિંગ પ્લેટસની રોડ
પર ચાલતા વાહનોમાં જરૂરિયાત વિશે વાહનચાલકોને જાગૃત કર્યા હતા. બાદમાં 20 છકડા, રિક્ષા, પિકઅપ, ટેમ્પો વાહનોની પાછળ રિફલેક્ટિવ ટેપ્સ લગાવવામાં આવી હતી. ઉપકરણ વિનાનાં વાહનોને પ્રવેશ નહીં અપાય તેવું એ.પી.એમ.સી.
મુંદરના સેક્રેટરી જી.એસ. જાડેજાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ
બનાવવા એપી.એમ.સી. મુંદરાનો સ્ટાફ, આર.ટી.ઓ. સ્ટાફ તથા મુંદરા
ટ્રાફિક પોલીસે જહેમત ઉઠાવી હતી.