મુંદરા, તા. 17 : ભદ્રેશ્વર સ્થિત અદાણી વિદ્યામંદિરે ફરી
એકવાર શિક્ષણમાં તેના ઉત્કૃષ્ટ યોગદાન બદલ માન્યતા મેળવી છે. એજ્યુકેશન એક્સેલન્સ-
એમ્પાવારિંગ ઇન્ડિયા એવોર્ડસમાં `સ્કૂલ ફોર અંડરપ્રિવિલેજ્ડ/
આરટીઇ અમલીકરણ' શ્રેણીમાં પ્રતિષ્ઠિત સર્ટિફિકેટ ઓફ મેરિટથી નવાજવામાં આવ્યું છે. નવી
દિલ્હીમાં આયોજિત એવોર્ડ સમારંભમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ બધા માટે સુલભ બનાવવા
માટે પ્રતિબદ્ધ સંસ્થાઓનું સન્માન કરવામાં આવે છે. એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડસમાં
એવીએમબીને સર્ટિફિકેટ ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ વંચિત
વિદ્યાર્થીઓનું સશક્તિકરણ કરવા અને શિક્ષણ અધિકાર કાયદાના અનુકરણીય અમલીકરણ માટે
શાળાના અતૂટ સમર્પણને નવાજે છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ દીપક વર્મા,
ભારતના શિક્ષણ રાજ્યમંત્રી ડો. સુકાંત મજુમદાર સહિત પ્રતિષ્ઠિત
મહાનુભાવોની હાજરીમાં આ વિશેષ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. સતત બીજાં વર્ષે
અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વર સંસ્થાને આ સન્માન મળ્યું છે. ગુજરાત રાજ્ય શિક્ષણ
બોર્ડ સાથે સંલગ્ન એવીએમબી ધો. 1થી 10 સુધી
મફત શિક્ષણ પ્રદાન કરે છે, જેમાં ટયુશન ફી, પાઠયપુસ્તકો, ગણવેશ
અને પૌષ્ટિક ભોજન પણ પ્રદાન કરવામાં આવે છે.