• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

યુદ્ધ ખતમ કરવા ઇરાનની સાત શરત

તેહરાન, તા. 20 : આખી દુનિયાના અર્થતંત્રને વિપરિત અસર કરનારું મધ્યપૂર્વનું યુદ્ધ હવે ખતમ થશે ? ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકા સમક્ષ સાત શરતો મૂકી છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહસેન રેઝાઈએ જણાવ્યું હતું કે કતારે આ શરતો વાશિંગ્ટનને જણાવી દીધી છે અને ઈરાન હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે. આ રેઝાઈએ જો કે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો અમેરિકા ઈરાનની માગણીઓ નહીં સ્વીકારે તો તેમનો દેશ `િનર્ણાયક યુદ્ધ' માટે તૈયાર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે, રાજદ્વારી વાટાઘાટોનો માર્ગ ફરી એકવાર ખૂલતો દેખાય છે. ઈરાને મધ્યસ્થી દેશ કતાર દ્વારા અમેરિકાને આ શરતો મોકલી છે. રેઝાઈના જણાવ્યા અનુસાર, તેહરાન વાતચીત ઇચ્છે છે, પરંતુ અમેરિકાએ પહેલાં કેટલીક શરતો સ્વીકારવી પડશે.અલ જઝીરા સાથે વાત કરતાં રેઝાઈએ કહ્યું હતું કે, વાટાઘાટો ફરી શરૂ કરવા માટે ઈરાનની સાત શરતોમાંથી ત્રણ સ્પષ્ટ છે. ઈરાન ઈચ્છે છે કે, અમેરિકા સાથે ચાલી રહેલ લશ્કરી સંઘર્ષ તમામ મોરચે સમાપ્ત થાય. તેહરાને વિદેશમાં સ્થિર કરાયેલા તેના નાણાકીય સંસાધનો અને ભંડોળને મુક્ત કરવાની માંગ કરી છે. ઉપરાંત યુએસ નૌકાદળની નાકાબંધી હટાવવાની પણ માંગ કરી છે.  ઈરાને યુએસને મોકલેલી અન્ય ચાર માગણીઓ અસ્પષ્ટ છે. એક અલગ સોશિયલ મીડિયા પોસ્ટમાં, રેઝાઈએ જણાવ્યું હતું કે ઈરાને યુએસ સાથે કોઈપણ વાટાઘાટો ફરી શરૂ કરવા માટે સાત શરતો મૂકી છે. જો કે, ઉપલબ્ધ અહેવાલોમાં આ સાત શરતોની સંપૂર્ણ સત્તાવાર યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. રેઝાઈએ એમ પણ કહ્યું હતું કે ઈરાન વર્તમાન યુદ્ધને શક્ય તેટલી ઝડપથી સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેહરાનની વ્યૂહરચના એક તરફ વાતચીતનો માર્ગ ખુલ્લો રાખવાનો અને બીજી તરફ લશ્કરી તૈયારીઓ ચાલુ રાખવાનો સમાવેશ કરે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે સીધા સંપર્કને બદલે, હાલમાં મધ્યસ્થી દ્વારા વાટાઘાટો હાથ ધરવામાં આવી રહી છે. અહેવાલો સૂચવે છે કે કતાર અને પાકિસ્તાન બંને તેહરાન અને વાશિંગ્ટન વચ્ચે વાટાઘાટો ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd