નવી
દિલ્હી,
તા. 13 : આ વર્ષે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ઓછો
રહેશે. 2026ના
દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે લાંબાગાળાની આગાહી જાહેર કરતાં હવામાન વિભાગે જણાવ્યું
હતું કે,
આ વર્ષે દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની ધારણા છે,
જે ખેતી, પશુપાલન અને જળ સંસાધનોને પ્રતિકૂળ
અસર કરી શકે છે. ઓછા વરસાદને કારણે વાવણી અને પાક ઉત્પાદન પર અસર પડી શકે છે,
તેથી ખેતી પર દબાણ વધી શકે છે. એક મીડિયા હેવાલ મુજબ, હવામાન વિભાગ અનુસાર, જૂન અને સપ્ટેમ્બર વચ્ચે કુલ
ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 92 ટકાથી ઓછો રહેવાની ધારણા છે. આ
અંદાજ 1971થી
2020 સુધીના
87 સેમિ.ના
લાંબાગાળાના સરેરાશ પર આધારિત છે. આનો અર્થ એ છે કે, વરસાદ
સામાન્ય કરતાં થોડો ઓછો હોઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વર્ષે અલ નિનોથી અસર થઈ શકે છે, જેના કારણે માત્ર
તીવ્ર ગરમી જ નહીં, પરંતુ વરસાદમાં પણ ઘટાડો થશે. હવામાન
વિભાગે જણાવ્યું છે કે, એપ્રિલથી જૂન 2026 દરમિયાન
તટસ્થ અલ નિનો-સધર્ન ઓસિલેશન સ્થિતિઓ સૌથી વધુ રહેવાની શક્યતા છે. સમગ્ર દેશ માટે
જારી કરાયેલી લાંબાગાળાની આગાહીમાં જણાવાયું હતું કે, ભૌગોલિક રીતે, દેશના ઘણા ભાગોમાં મોસમી વરસાદ
સામાન્યથી ઓછો રહેવાની શક્યતા વધુ છે. જો કે, ઉત્તર-પૂર્વ,
ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના કેટલાક વિસ્તારોમાં
સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. વધુમાં, મધ્ય ભારતના
મોટા ભાગો દુષ્કાળથી પ્રભાવિત થવાની ધારણા છે. આ એવા વિસ્તારો છે જ્યાં સામાન્યથી
ઓછો વરસાદ થવાની આગાહી છે. પશ્ચિમ ભારતના કેટલાક ભાગો અને આંતરિક પ્રદેશોમાં પણ
ઓછો વરસાદ પડવાની ધારણા છે. દેશના મોટા ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની ધારણા
છે, જ્યારે ઉત્તર-પૂર્વ, ઉત્તર-પશ્ચિમના
કેટલાક ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતના કેટલાક ભાગો જેવા કેટલાક વિસ્તારોમાં
વરસાદ સારી સ્થિતિમાં હોઈ શકે છે તેમ હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું.